SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દપકા 888888888888888888888888888888888888 3 R88888888888NYH8888888888IGNSRSRSRSRSRSRSR888888888888888RGR&RGASHSHSR8888 પ્રાણને ધારણ કરનાર સર્વ જીવોને વિષે-સુખમાં રહ્યાં હોય કે દુઃખમાં રહેલાં હોય-તેમને વિષે તે જીવો શત્રુ હોય કે મિત્ર હોય તે સર્વ ઉપર હિતની બુદ્ધિ રાખવી તે પુરુષોની મૈત્રીભાવના છે. ભાવાર્થ : દુનિયાના સર્વ જીવો ઉપર મિત્રતા રાખવી, મિત્ર સમાન પ્રીતિ રાખવી. આ વખતે આવો વિચાર કરવાનો નથી કે “આ જીવો સુખી છે ? નિરોગી છે ? ધનાઢ્ય છે ? બળવાન છે ? કે કોઈ પણ સત્તા ધરાવનાર છે ? આવા ધનાઢ્ય કે બળવાન જીવો તરફ તો પ્રીતિ રાખવી, કારણ કે તેમના તરફથી ભવિષ્યમાં કોઈ પણ પ્રસંગે આપણને સહાય મળશે, દુઃખી સ્થિતિમાં મદદગાર થશે, અગર આપણો બચાવ કરશે અને આ જીવો તો દુઃખી છે, નિર્બળ છે, નિર્ધન છે, તેમની સાથે પ્રીતિ રાખવાની શી જરૂર છે ? તે આપણને શી ? મદદ આપવાના છે? શા ઉપયોગી થવાના છે? આ વિચાર છે આ ઠેકાણે કરવાના નથી. વળી આ આપણા વૈરી છે, શત્રુઓ છે, અન્ય દેશના છે, તેમની સાથે શા માટે મિત્રતા રાખવી ? અને આ તો આપણા મિત્રો છે, કુટુંબીઓ છે, સંબંધીઓ છે, ઓળખીતા છે, આપણા દેશના છે, આપણી નાતના છે, આપણો ધર્મ પાળનારા છે, તેમની સાથે તો મિત્રતા કરવી તે વ્યાજબી છે. ઇત્યાદિ વિચારો કરવા તે યોગ્ય નથી, આ મિત્રતા કરવી કાંઈ સ્વાર્થ સાધવા માટે નથી, કે દુનિયાનાં સુખ મેળવવા માટે નથી, કે કાંઈ કોઈ જાતનો સંબંધ વધારવા માટે નથી કે જેને લઈ અમુક સાથે મિત્રતા કરવી અને અમુક સાથે તો ન કરવી. નાતજાતના, દેશકાળના, ધર્મવિધર્મન, ઊંચાનીચાના, નાનામોટાના, કાંઈ પણ તફાવત રાખ્યા વિના સર્વ જીવો OBOBUREBERRORUBAUBERURUBUR UBEBORDUREROBERURUSURUBURBERRRRRRRRRRRRRRR SOUROBOROBORPUROREPROPEREREREREBBERBODEXO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy