SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ નદીપિકા 8888888888888888888888888888888888888888888 LEPOROROBREDOBBBBBBBBBBBBBBBBBBBBBBBOROBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBE ધર્મધ્યાનમાં ઉપયોગી સાધનો भावनादीनी धर्मस्य, स्थानाद्यासनकानि वा । कालश्चाबनादीनिः ज्ञातव्यानि मनीषिभिः ॥१०६॥ ધર્મધ્યાનની સિદ્ધિ માટે ભાવના, સ્થાન, આસન, કાળ અને આલંબનાદિ બુદ્ધિમાનોએ જાણવાં. ભાવાર્થ : કોઈ પણ એક કાર્ય સિદ્ધ કરવા માટે તેના અંગરૂપ કે મદદગારરૂપ કારણો એકઠાં કરવાની પ્રથમ જરૂર પડે છે. તે કારણો હોય તો જ કાર્ય સિદ્ધ થાય છે, નહિતર કાર્ય સિદ્ધ થતું નથી. ધર્મધ્યાન કે શુક્લધ્યાન તે પણ એક કાર્ય છે, તો તેનાં કારણો એકઠાં કરવાં જ જોઈએ. તે કારણોમાં ભાવના કે જેનાથી મનને વાસિત કરવામાં આવે છે તે તથા ધર્મધ્યાન માટે કેવું સ્થાન હોવું જોઈએ, કેવે આસને બેસી ધ્યાન (ધર્મધ્યાન) કરવું? કયા કાળમાં ધ્યાન કરવું અને કેવાં આલંબનો લેવાં આદિ શબ્દથી ધર્મધ્યાનના અધિકારી, વેશ્યા, ચિહ્ન, ફળ વગેરે જાણવાં, જેમાંથી કેટલાંક પૂર્વે કહેવાઈ ગયાં છે. બાકી જે રહ્યા છે તે અહીં અનુક્રમે બતાવવામાં આવશે. ધર્મધ્યાનમાં કઈ કઈ બાબતો મદદગાર તરીકે ઉપયોગી છે તે વિષે ધ્યાનશતકમાં કહ્યું છે કે : झाणस्स भावणाओ देसं कालं तहासणविसेसं । आलंबणं कमं पुण झाइयव्वं झेयझ्झायारो ॥१॥ तत्तोणुप्पेहाओ लेस्सां लिंग फलं च नाऊणं । धम्म झाइज्ज मुणी तग्गयजोगो तओ सुक्कं ॥२॥ ધ્યાનને પોષણ આપનારી ભાવનાઓ, ધ્યાનને ઉચિત સ્થાન, ધ્યાનને યોગ્ય કાળ (વખત), ધ્યાન માટે આસન, આલંબન (વાચનાપૃચ્છનાદિ), ક્રમ (મનનો નિરોધ આદિ), BEBUBURBBBBBBBBREVEDBUBUBURURGRUBUBBELBURUZGRUBUBURBEGEBRUBUBURBURUZVELEBEKAJ SPORBARHUBUBUBUBUBURUBUBURBERREHURSBOBEBBE 230 Jain Education International 'For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy