SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા (ખખખખખખર89RSHAB (ઉપાય) લાગુ પડે તે લાગુ પાડો. દરેક જીવની યોગ્યતા જુદી જુદી હોય છે. બંધનો પણ જુદા જુદા હેતુઓને લીધે જુદા જુદા પ્રકારનાં હોય છે એટલે અમુક માણસ જે ઉપાય નિર્બંધન થવા માટે કહે છે કે પોતાને લાગુ પડે છે તે જ ઉપાય સર્વને લાગુ પાડવા જાય તો તેમ બની શકતું નથી. માટે તેવો આગ્રહ ન કરતાં પોતાને ગમે તેવા પણ લાગુ પડે તેવા ઉપાય શોધી કાઢી, તુરત લાગુ પાડી મિલનતા ઓછી કરો બલકે તેનો નાશ કરો એ જ તત્ત્વજ્ઞાન છે અને એ જ તપ છે. DYRERERERERERE AGRGGRENENERERERERGNEREDERERERERERGRENERE NENG REGNERERERERE K દુનિયામાં નાના પ્રકારના મતમતાંતર અને ઝઘડા થવાના હેતુઓ આ જ છે કે માણસ પોતાની માફક સર્વને ચલાવવા માગે છે, પોતાની યોગ્યતા પ્રમાણે સર્વની યોગ્યતા કલ્પે છે. પોતાના વિચાર પ્રમાણે અન્યનો ન્યાય ક૨ે છે અને સામામાં તેમ હોતું નથી. સરખી યોગ્યતા ન હોવાને લીધે તેમના માર્ગ જુદા પડવાના જ અને તેને લીધે વિચારની ભિન્નતા તો રહેવાની જ-તથાપિ લક્ષ્યબિંદુ-સાધ્ય તો સર્વનું એક જ હોવું જોઈએ. આ લક્ષ્ય ધ્યાનમાં રાખી દુનિયા તરફ દૃષ્ટિ કરવામાં આવે તો આવા મતમતાંતરો મૂળ સાધ્યમાં લય થઈ ગયેલા જોવામાં આવશે. ૪. ભાવનાની જરૂરિયાત जन्मजरामरणभयैः पीडितमालोक्य विश्वमनगाराः । निःसंगत्वं कृत्वाध्यानार्थं भावना जग्मुः ॥५॥ જન્મ, જરા અને મરણના ભય વડે વિશ્વને પીડાયેલું જોઈને અણગારો (જ્ઞાનીઓ) નિઃસંગપણું ધારણ કરી ધ્યાનને માટે ભાવનાનો આશ્રય કરે છે. પ. કર8ર9ર8DE8888998/G88388984 ૨૩ Jain Education International 3/38888888a8a8a88a8a8: For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy