SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ G/37P3.BBBBBBBBABBBBBBBOROFORE8.02 cellot Eiros UBRUBBBBBBBBBURURURUBBBBBBBBBUBURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS જ્ઞાનીઓ પોતાના જ્ઞાનમાં તેમ જ દેખે છે. શાસ્ત્રકારો એમ જ જણાવે છે. દરેક સંપ્રદાયમાં પણ મોટે ભાગે આ જ માન્યતા છે. મલિન થવાના હેતુઓમાં બે ભેદ છે. પ્રથમ અનાદિ પ્રવાહની અપેક્ષાએ મૂળ અનાદિ મલિનતા થવામાં હેતુ શો ? તે હેતુ મળી શકતો નથી. શોધવા જતાં અનેક શંકાઓના વમળમાં અથડાવું પડે છે. છેવટે પણ અનાદિ તેમ જ છે” આ શબ્દોનો આશ્રય લેવો પડે છે. બીજો હેતુ અમુક સ્થિતિથી મલિન થવાના હેતુઓ મિથ્યાત્વ, કષાય (અજ્ઞાન), અવિરતિ (ઇચ્છાઓનો અનિરોધ) (ક્રોધ, માન, માયા, લોભવાળી પરિણતિ) અને યોગો (મનવચન-કાયાની પ્રવૃત્તિ) આ હેતુઓ માનવામાં આવે છે. તે હેતુઓ નવીન મલિનતા પામવામાં પ્રબળ કારણરૂપ છે. તેનું નામ જ મોહાંધ-મોહથી આંધળા થવાપણું છે. આ મોહરૂપી પડળને લઈ આત્મજ્ઞાન-આત્મપ્રકાશ-દબાઈ ગયો છે-ઢંકાઈ ગયો છે-તેથી વસ્તુને વસ્તુસ્વરૂપે જોઈ શકાતી નથી. આત્મસ્વરૂપ પ્રગટ થતાં આ મલિનતા કે મોહાંધતા રહેવા પામતી નથી. માટે આ આત્મા જે હેતુ વડે કરી શુદ્ધ થાય તે જ તેનું હિત છે અથવા તેમાં જ આ જીવનું હિત સમાયેલું છે, તેનું નામ જ તપ છે અને તેનું નામ જ વિજ્ઞાન છે. મતલબ કે આ જીવ ગમે તે હેતુ વડે શુદ્ધ થાય તેને માટે શું તમે પ્રબલ પ્રયત્ન કરો. અમુક હેતુથી શુદ્ધ થાય અને બીજા હેતુથી શુદ્ધ ન થાય આવો કદાગ્રહ ન કરો. આવા નકામા વાદવિવાદમાં ન ઊતરો. અમૂલ્ય માનવજીવનને ક્ષણ પણ નકામું ન કાઢો. જિનેશ્વર ભગવાને આત્માને વિશુદ્ધ થવાના અસંખ્ય માર્ગો હું પોતાના જ્ઞાનમાં દેખ્યા છે, તેમાંથી તમારા દર્દીને જે દવા FORBRUBBBBBBBGRUBU VEEBIURBRAUZUBEREBBBBBBBBBBBUBEBEDOBBAUBERUBURUDUBBER28 22. BORUBBBBBBBBBBBBBBBBBBBBORGZBRLBORGBUBURUZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy