SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા SGals દરેક ક્ષણે તમોને યાદ આવે, જાગૃતિ આપે તે માટે બીજે ક્યાંય નહીં પણ હૃદયરૂપ ઘરમાં જ રાખજો, આત્મસન્મુખ જ રાખો. આ ધ્યાનદીપિકામાં જૈનઆગમના અર્થનું જ અવલંબન કરેલું છે; અર્થાત્-જિનેશ્વર ભગવાને અનુભવ કરેલ સિદ્ધાંત-નિશ્ચયનું જ વર્ણન તેમાં છે અને તે માટે જ તે મોહરૂપ અંધકારનો નાશ કરનારી છે; તથા સમભાવ કે જેમાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, તેવી રાગદ્વેષ વિનાની, સમ-વિષમ વિનાની, પરમ વિશુદ્ધિવાળી સ્થિતિને આપવાવાળી છે. મતલબ કે વીતરાગ દેવનો જે સ્વાનુભવસિદ્ધ માર્ગ છે તે માર્ગે ચાલતાં અવશ્ય તમે તે સ્થિતિને અનુભવી શકશો. (0888888888883/388888888888888888888888 BUBERERERERERERERS તે માર્ગ આમાં (દીપિકામાં) બતાવવામાં આવશે, એટલા માટે જ આ ગ્રંથને હૃદયમાં સ્થાન આપજો. શોભાને માટે જેમ ઘરમાં અભરાઈ ઉપર વાસણો ગોઠવવામાં આવે છે તેમ આ ગ્રંથને પુસ્તકાલયની અભરાઈ ઉપર જ ગોઠવી ન મૂકશો. ૩. આત્માને હિતકારી વસ્તુ શી છે ? जीवो ह्यनादिमलिनो मोहांधोऽयं च हेतुना येन । शुध्यति तत्तस्य हितं तच्च तपस्तश्च विज्ञानम् ||४|| અનાદિકાળથી મલિન અને મોહાંધ આ જીવ જે હેતુ વડે શુદ્ધ થાય તે તેનું હિત છે, તે તપ છે અને તે વિજ્ઞાન છે. ૪ ભાવાર્થ :- આ જીવ અનાદિકાળથી મલિન છે. તેનામાં મલિનતા ક્યારે આવી અને શા હેતુથી આવી ? આનો જવાબ “અનાદિકાળથી તેમ જ છે” એ સિવાય બીજો આવતો નથી. Jain Education International ba8a888888888888888838333339s9a9s888નું ૨૧ 888& For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy