SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Uld Elfùs, RERURURURURURURURURURURURURURURUTUR T888 88 પ્રત્યાહાર પછીનો વિષય પોતાના અનુભવનો છે. તેથી આ સંબંધમાં કાંઈ વધારે બોલવું તેનાં કરતાં અનુભવ કરવાથી જ વધારે સમજાય તેવું છે. આ આત્માના ગુણ કે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કેમ કરવું તે બાબતમાં તો ઇશારો કરવો તેટલું જ બસ છે. કારણ જ્યાં વસ્તુસ્થિતિ જ આંતરક્રિયાથી સિદ્ધ થાય તેમ છે ત્યાં બાહ્ય વાણી શું કહી શકે ? માટે આ એક સામાન્ય ઈશારા તરફ દૃષ્ટિ રાખી-નિશાન રાખી-આગળ વધવાથી આગળ શું છે, કેમ છે, તે સર્વ સમજાશે. વચનોથી કહી શકાય, અન્યને સમજાવી શકે (શકાય) તેવા ધ્યાન સંબંધી વિચારો અથવા કેવા વિચારો કરવાથી ધર્મધ્યાન થાય છે તે વિષે ગ્રંથકાર ધર્મધ્યાનાદિનું સ્વરૂપ બતાવે છે. ધર્મધ્યાનાદિ વિચાર ' ध्यानं चतुर्विधं ज्ञेयं धर्मं शुक्लं च नामतः प्रत्येक तच्छ्रयेत् योगी, विरक्तः पापयोगतः ॥ १०५ ॥ ધર્મધ્યાન અને શુક્લ તે દરેકના ચાર ભેદ છે. પાપયોગથી વિરક્ત થઈ યોગીએ બંને ધ્યાનનો આશ્રય કરવો. ભાવાર્થ : ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે રાજયોગ છે. જેમ રાજમાર્ગમાં કાંટાકાંકરા, ખાડાટેકરા ન હોવાથી, રસ્તે ચાલનારાઓ ઓછા પરિશ્રમે અને હેરાનગતિ વિના (દુ:ખી થયા સિવાય) સુખે સમાધે ચાલી શકે છે, તેમ ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં શરીર કષ્ટ કે દુઃખ વેઠવું પડતું નથી, પણ કેવળ મનની નિર્મળતામાં વધારો કરવાથી આ .માર્ગ ઘણો સરલ અને ઉપદ્રવ વિનાનો બને છે. આ ઉત્તમ સ્થાનોમાં હૃદયને પરમ આર્દ્ર બનાવી આત્મિક પ્રેમથી ભરવું પડે છે. સર્વ જીવોને આત્મસ્વરૂપે અનુભવવા પડે છે. (UTUKUFUKURUZUÜNÜRÜRÜKÜRÜRÜKÜRERURUZEJURETY 239 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy