SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 388888888 34888888888888893838&88&9388888 8384838/ 9998, S&BSW/999993% ધ્યાન દીપિકા કોઈ વિપત્તિ આવી પડવાની હોય તેનો ઉપાય ચિંતવવાના વિચારમાં માણસ એટલો બધો ગરકાવ થઈ જાય છે કે પાસે કોણ આવ્યું, અગર અમુક માણસ શું બોલ્યું, તેનું તેને ભાન સુદ્ધાં રહેતું નથી. આ ઠેકાણે વિચાર કરો કે બધી ઇંદ્રિયોમાંથી તેણે પોતાનું મન કાઢી લીધું હોય છે, કારણ કે ઇંદ્રિયોના વિષયોને અત્યારે તેનું મન બિલકુલ ગ્રહણ કરતું નથી તે પ્રત્યાહાર થયો. તેનું મન કોઈ એક વ્હાલા માણસ તરફ, કે પૈસા તરફ કે વિપત્તિના પ્રતિકારરૂપ ઉપાયમાં લાગ્યું છે તે ધારણા થઈ અને તેમાં જ-તે વિચારમાં તે એટલો લીન થઈ ગયો છે કે વિચારના પ્રવાહ સિવાય બીજો વિચાર પણ તે વખતે હોતો નથી. આ ધ્યાન થયું અને આ સ્થિતિમાં જો દેહનું ભાન ભૂલાઈ તદાકાર થઈ જાય તો સમાધિ પણ થઈ જાય. છતાં સમાધિ પર્યંત ન પહોંચે તો પણ ધ્યાન સુધી તો ઘણાં માણસો પહોંચી જાય છે. જુઓ કે આ ધ્યાનોને પહેલા આર્દ્રધ્યાન કે રૌદ્રધ્યાન તરીકે ઓળખાવી આવ્યા છીએ અને તેનો ત્યાગ કરવાનું પણ સૂચવી આવ્યા છીએ, તથાપિ અહીં કહેવાનો આશય એ છે કે હલકાં ધ્યાન-ધારણા તો મનુષ્યો નિરંતર કરે છે, પણ તે કાંઈ કલ્યાણનો માર્ગ નથી. એ જ પ્રત્યાહાર, ધારણા, ધ્યાનનો માર્ગ બદલાવી નાખવો જોઈએ. જે પ્રવાહ નીચો વહે છે, તે જ પ્રવાહને તેની સામેની બાજુ તરફ ગતિ આપવી એટલે બસ થયું. આટલું જો સિદ્ધ કરવામાં આવે તો જે હલકા પ્રકારની ધ્યાનાદિ ક્રિયા અધોગતિ આપનારી થાય છે, તે જ ક્રિયા શક્તિનું સુકાન-નિશાન બદલાવાથી તમને ઊંચી સ્થિતિ આત્માની શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદગાર થશે. ૨૩૬ 838 &88a8888888@88888888888888888 Jain Education International a8aa38/88888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy