SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ E2101 Elfù51 BERURUFUKURURURURURUKERERERLA આત્મારૂપી રાજાના પ્રધાન તરીકે મનને માનવું જોઈએ. આ પ્રધાનના દોષથી રાજા-આત્મા પોતે પણ આવા અશુચિથી ભરેલા દેહમાં વારંવાર આવજા કરે છે, બંધન પામે છે અને જૂના દેહ મૂકવા તથા નવા ધારણ કરવારૂપ જન્મ મરણ પામ્યા કરે છે. 88888 મન પ્રધાન બહુ બળવાન છે. તે જો આ ઇંદ્રિયોરૂપી સ્ત્રીઓની મિજબાની-ભક્તિ સ્ત્રીઓની-ભક્તિ ચાખવાથી દૂર રહે તો તે આત્મારૂપ રાજાનું ઘણું હિત કરી શકે તેમ છે. તેને આવા દેહરૂપ મલિન બંદીખાનામાંથી છોડાવી શકે તેમ છે અને તે આત્મારૂપ રાજાની સાથે અભેદ થઈ રહે તેમ છે. પણ આ ઇંદ્રિયોરૂપ સ્ત્રીઓના કબજામાંથી તે છૂટે, તો આ સર્વ વાત બની આવે તેમ છે. માટે જ શાસ્ત્રકાર કહે છે કે વિષયો થકી ઇંદ્રિયોને વ્યાવૃત્ત કરવી-પાછી હઠાવવી. કાં તો ઇંદ્રિયોએ મનની આગળ વિષયો હાજર કરવા નહિ અગર તો મને ઇંદ્રિયો પાસે જવું બંધ કરવું. આ ઉપાયોને પ્રત્યાહાર કહે છે. આપણે ઇંદ્રિયોને વિનંતી કરીશું કે તમારે વધારે વખત નહિ, તો જેટલી વખત મન આત્માની સમીપ જવાની ઇચ્છા કરે તેટલા વખતને માટે મનને વિષયો હાજર ન કરવા. અથવા આત્માના ભલા માટે મનને વિનંતિ કરીએ છીએ કે તેણે આત્માની નજીક જવાની ઇચ્છા હોય ત્યારે અગર આત્માની હજુરમાં દાખલ થવા અગાઉ જ પોતાની આ સ્ત્રીઓને યાદ ન કરવી-તે તરફ પોતાનું ધ્યાન ખેંચવું નહિ. અને તે સિવાયના વખતમાં કદાચ ઇંદ્રિયોની પાસે જવું પડે તો તે અનુકૂળ કે પ્રતિકૂળ વિષયો આપે તેમાં હર્ષ, શોક, રાગ કે દ્વેષ ન કરતાં મધ્યસ્થ રીતે તેનો અનુભવ કરી લેવો. આમ કરવાથી તે મનના KUKUKURUZUKUFUKURUPUKURUZUKUKURURURURURURY LIC Jain Education International 8888« For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy