SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Callot EIUSI BBBBBBBBBBBBBBBBBBRSBOURGBEBBBBIVIR BBBBBBBBBBBBBBBBBBBBUBURBEREDERODUABUBUBUBBBBBBBBBBBBBBBVARBUDUBBELRUBBE છે સુધી ત્યાગ ન થાય ત્યાં સુધી તે ત્યાગ જ ઊલટો ફસાવનાર થાય છે. આવા વિશુદ્ધ મનવાળા પ્રાણાયામાદિ ક્રિયા કર્યા વિના પણ તે ફળ મેળવી શકે છે. પ્રાણાયામથી શરીરને કલેશ થાય છે. નિયમપૂર્વક તે કરવામાં નથી આવતો, તો ઘણી વખતે રોગ પણ ઉત્પન્ન થવાનો ભય રહે છે. આ કારણથી જૈનાચાર્યોએ પ્રાણાયામ તરફ વધારે લક્ષ આપ્યું નથી, પણ મોક્ષના બીજરૂપ જે કારણો છે, તેમાં રાજયોગને મુખ્ય સ્થાન આપ્યું છે. જડ, ચૈતન્યનો વિવેક કરી, આત્મજ્ઞાન વડે પુદ્ગલની વાસનાનો ઇચ્છાનો બાધ સાધ્ય કર્યો છે. આથી ફલિતાર્થ એ થયો કે જેનું અંતઃકરણ શુદ્ધ છે, તેને રેચક, કુંભક, આદિ પ્રાણાયામોની જરૂર નથી. પ્રત્યાહાર ૫ इंद्रियार्थनिरोधो यः स प्रत्याहार उच्यते ।। प्रत्याहारं विधायाथ धारणा क्रियते बुधैः ॥१०॥ ઇંદ્રિયોના વિષયોનો વિરોધ કરવો તેને પ્રત્યાહાર કહીએ છીએ. પ્રત્યાહાર કર્યા પછી વિદ્વાનો ધારણા કરે છે. ભાવાર્થ : ધ્યાનનો મુખ્ય આધાર મન ઉપર છે. મન જુદા જુદા વિષયોમાં વિખરાયેલું હોય તો તેનું બળ એક પ્રવાહમાં મજબૂત રહેતું નથી. મનને ઇંદ્રિયો ખોરાક પૂરો પાડે છે. આંખ દેખવાના પદાર્થો મન આગળ રજૂ કરે છે. નાક સૂંઘવાના પદાથો તરફ મનનું ધ્યાન ખેંચે છે. જીભ સ્વાદના પદાર્થોનું ભેટશું મનને કરે છે. કાન સાંભળવાના શબ્દો તરફ મનને ચંચળ કરે છે. અને સ્પર્શ ઈદ્રિય વિવિધ છે FEBBRSBUBURUBURBUBUBURDUREKEBBURBEVEERUBBELBURBERBEURRESERRURUBURBSKEBRERO GBBBURUBBBUBBBGBUBUBUBUBBBBBBBBBBBBBBBBBBBR29 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy