SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888&#33333333333333333333333303898E888 8998849888S9986888યાનદીપિકા જોઈએ. લોકપરલોકના ભાગરૂપ મળતી વાસના ઊડી જવી જોઈએ. જેમ જેમ ઈચ્છાનો ત્યાગ થાય છે, પરમ પ્રબળ વૈરાગ્યભાવ પ્રગટ થાય છે, તેમ તેમ મન શુદ્ધ થતું ચાલે છે. વૈરાગ્યનો અર્થ અહીં એ લેવાનો નથી કે ઘરબાર, બૈરી, છોકરાં, કુટુંબને રઝળતાંરવડતાં મૂકી સાધુ થઈ જવું ત્યાગીનો વેષ પહેરી લેવો. આવા ઘરબારના ત્યાગ કરનાર ત્યાગીઓની આ દુનિયા ઉપર કાંઈ પણ ખોટ નથી-ઓછી સંખ્યા નથી. પણ તેમનાથી સ્વપરનું કાંઈ પણ સાધી શકાતું નથી, ત્યાગ નામ એ છે કે આસક્તિને ઉડાવી દેવી, મમતાને મારી નાખવી, ઈચ્છાઓને વીંધી નાખવી, આશાને બાળી મૂકવી. આમ કરનારને જ વૈરાગ્ય કહેવાય છે. પછી તે ગૃહસ્થાશ્રમમાં પોતાની ફરજ અદા કરવા રહ્યો હોય કે તેવા પ્રતિબંધના અભાવે ત્યાગી થયો હોય, તે જ ખરેખર વૈરાગી છે. પોતાની ફરજ બજાવવાની શક્તિ ન હોય, કોઈ કારણથી સંસારવ્યવહાર ચલાવતાં કંટાળેલો હોય અને મનમાં અનેક પ્રકારની કામનાઓ-ઈચ્છાઓ ભરી હોય, આવો માણસ ત્યાગી થઈ સ્વપરનું શું ઉકાળશે ? માણસ પોતે કોણ છે ? પોતાની ફરજ શું છે ? કર્તવ્ય અને પ્રાપ્તવ્ય શું છે ? તેના શા ઉપાયો છે તે સમજવા નથી, ફ૨જ બજાવી શકતો નથી, અભિમાન ત્યાગી શકતો નથી, તેનો બાહ્ય ત્યાગ શા કામનો છે ? તે ત્યાગ ઊલટો અભિમાન વધારનાર થાય છે. આંતરવાસના ત્યાગી શકતો ન હોવાથી તે ઉભયભ્રષ્ટ થાય છે. વાસનાનો ત્યાગ-સર્વ ઈચ્છાઓનો ત્યાગ એ જ ઉત્તમ ત્યાગ છે. આ ત્યાગવાળાનું જ અંતઃકરણ શુદ્ધ હોય છે અને તે જ આગળ શાંતિના માર્ગમાં જવાનો અધિકારી છે. ઊંડા હૃદયમાંથી જ્યાં ૨૨૬ 8a8a8a898a8a88938333333333888888888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy