SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Ezilot EINYSPERBEZUBUBURBEEBBBBBBBBBBBBBBBSBBER S8888888888888888888888888888888888888888888888888888888888888888888888888 કલેશ થાય છે. આ કારણથી આચાયોએ આવા પ્રાણાયામને અંગીકાર કર્યો નથી. પૂરક, કુંભકો અને રેચકો વડે શું પ્રયોજન છે ? એ પ્રમાણે વિચાર કરીને જે મોક્ષના મુખ્ય બીજરૂપ કારણ હોય તેનો આદર કરવો. ભાવાર્થ : જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે. તેને આ પ્રાણાયામોની કાંઈ જરૂર નથી. કોઈ પણ આલંબનમાં મન ઠરતું ન હોય-વધારે મલિન સંસ્કારો મનમાં ભર્યા હોય તો આ પ્રાણાયામોની જરૂર છે. ઘરમાં એકદમ ઘણો કચરો એકઠો થયેલો હોય તો પાવડાઓ લાવી, ખાંપીને કચરો કાઢવાની જરૂર છે, ત્યાં સાવરણીનું વિશેષ પ્રયોજન તે વખતે નથી. પણ જ્યાં થોડી રજ હોય ત્યાં તે મુકામ સાવરણીથી સારો થાય છે, ત્યાં પાવડા વગેરેની જરૂર નથી. જેનું હૃદય પવિત્ર થયેલું છે તેને પ્રાણાયામનો અભ્યાસ કર્યા સિવાય તેનું મન વિચારોથી જ સ્વાધીન થઈ જાય છે. | વિચારો કરતાં કે વસ્તુતત્ત્વનું-પરમાત્મસ્વરૂપનું લક્ષ લઈ તેમાં ધ્યાન આપતાં જ મન સાથે પવન પણ સ્થિર થઈ જાય છે. હઠયોગના કાયાને કલેશ આપનારા લાંબા કાળના અભ્યાસે જે પવનનો જય થાય છે, તે આ રાજયોગના આત્મસંબંધી વિચારોથી જ-આત્મસ્વરૂપમાં જાગૃતિ પામવાથી જ મન જિતાવા સાથે પવન પણ સ્થિર થઈ પરમ સમાધિદશા પામી શકે છે તેમાં જરા પણ સંશય જેવું નથી. પૂર્વે જે પવનની ધારણા બતાવી છે તે ક્રમ કર્યા સિવાય પણ શાંત વિચારો કરી મનને આખા શરીરમાં વ્યાપ્ત કરી દેવાની ટેવ પાડવામાં આવે છે, તો પણ મન સાથે પવનનો જય થઈ જાય છે. વિશેષ એટલો છે કે તે સાધકનું મન વિશુદ્ધ થયેલું હોવું PREPORUEBRUBBERBOREBBBBBORBRUKEREPUBBBBBBBBBBBBBBBBBBBBBURUBURBERREZURRABBEROA SAUBEROPERERERERURBERRRRRRRRRRRRRRRER BERU ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy