SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 888888868,6888GHdR989 ધ્યાનદીપિકા ભૂલ ખાય છે. પ્રાણાયામનો અર્થ આત્મજ્ઞાન કે ઇશ્વરજ્ઞાન એવો થતો જ નથી. પ્રાણાયામ કરવાથી અધિક કલ્યાણ કાંઈ છે જ નહિ. પ્રાણાયામથી આત્માનુભવ થાય છે એ માન્યતા જૂઠી અને ભૂલભરેલી છે. પ્રાણાયામમાં લેશમાત્ર પણ પરમાર્થ કે આશ્ચર્ય જેવું નથી. એ તો જેવી શરીરની કસરત તેવી જ પ્રાણની કસરત છે. ફેફસા તેમ જ હૃદયને સાફ તેમ જ મજબૂત રાખવા માટે તથા મનને સ્થિર કરવાને પ્રાણાયામ એ પ્રાણની કસરત જ છે. પ્રાણાયામ આત્મજ્ઞાન નથી પણ આત્મજ્ઞાન પામવાનું એક સાધન પ્રાણાયામ છે. પ્રાણાયામમાં એક વાત ધ્યાન રાખવા જેવી છે. તે એ કે જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે પેટને સંકોચી નાખો એટલે પાછું પીઠ ભણી ખેંચો. આનાથી બહુ લાભ થશે. બીજું એ કે પ્રાણ અંદર લેતી વખતે આખા પેટને તેનાથી ભરી નાખવાનું ચૂકતા નહિ. પ્રાણવાયુ છાતી સુધી જઈને અટકી જાય નહિ. પણ ઠેઠ પેટના તળિયા સુધી પહોંચી જાય તેમ કવું જોઈએ. ધ્યાન-ધારણાદિના અભ્યાસમાં પ્રાણાયામ બહુ હિતકારી છે. શાસ્ત્રકાર હઠયોગના પ્રાણાયામનો નિષેધ કરે છે किमनेन प्रपंचेन प्राणायामेन चिन्मताम् । कायहृत्क्लेशकारिण नाद्दतस्तेन सूरिभिः ॥ १०० ॥ पूरकैः कुंभकैश्चैव रेचकैः किं प्रयोजनम् । विमृश्येति तदादेयं यन्मुक्तेर्बीजमग्रिमम् ॥ १०१ ॥ શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યોને આ પ્રપંચવાળા પ્રાણાયામોની શી જરૂર છે ? તેનાથી કાયાને તથા મનને ૨૨૪ 8&8893399/9/3/383388R338s38888888za Jain Education International 88888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy