SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિ9િ98 ધ્યાનદીપિકા અભ્યાસને બહુ સુખકારક છે. શરીર, મસ્તક અને ડોકને નિશ્ચળ અને સીધા રાખી, સ્થિર થઈ, આડુંઅવળું જોયા વિના ટટાર પોતાની નાસિકા સન્મુખ દષ્ટિ કરી દિશાઓ તરફ નજર નહિ કરતાં પ્રસન્ન ચિત્તથી આસન વાળી બેસવું જોઈએ. 3j8a888888888888888 આ રીતે તૈયાર થઈ પછી જમણા હાથના અંગૂઠા વડે જમણું નસકોરું દાબીને બંધ કરવું અને ડાબે નસકોરેથી શ્વાસને ધીરે ધીરે અંદર લેવો. આ શ્વાસ અંદર લેવાની ક્રિયાને પૂરક કહે છે. આ પૂરક ક્રિયા મન શાંત અને સ્વસ્થ થાય ત્યાં લગી કર્યા જવી. આ ક્રિયા વખતે મનને શૂન્ય કે નકામું રાખવું નહિ. આ પૂરક ક્રિયા ચાલતી હોય ત્યારે ચિત્તને એકાગ્ર કરવું અને ચિંતન કરવું કે એક મહાન શક્તિને હું મારા શરીરમાં લઉં છું, પૂરું છું. હું એક મહાન અમૃત તત્ત્વનું પાન કરું છું. શ્વાસ પૂરો માંહી લઈ રહ્યા એમ તમોને જણાય ત્યારે કનિષ્ઠકા અને અનામિકા આંગળીઓ વડે ડાબુ નસકોરું દાબીને બંધ કરી દેવું. આ પ્રમાણે શ્વાસ લઈને બંધ કર્યા પછી મુખ દ્વારા તેને નીકળવા દેવો નહિ આને કુંભક ક્રિયા કહે છે. આમ માંહે લઈ બંધ કરેલા વાયુને ફેફસાં, પેટ અને હોજરી વગેરેમાં ભરી દેવો. શરીર અંદરની સઘળી ખાલી જગ્યાઓ આ વાયુથી ભરી નાખવી. ઉપર પ્રમાણે આ વાયુ શરીરમાં લઈ ભરી રાખતી વખતે પણ મનને નકામું રહેવા દેવું જોઈએ નહીં, પણ હું આત્મા છું, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, અનંત શક્તિમાન, જ્ઞાનસ્વરૂપ હું છું, એવી ભાવનાનું એકાગ્ર મને ધ્યાન ધરવું. તમારી સર્વ શક્તિઓ અને તમારું સઘળું મનોબળ વાપરીને આ ભાવનાના ધ્યાનને સજ્જડ, મજબૂત અને અચળ કરવું Jain Education International 63888 ૨૨૦ ૩®@88888ર9ર8&GsWs383383ર0888888888#svg& For Private & Personal Use Only 888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy