SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યનિદAપિકા 8888888888888888888888888888888888888888888888 ROBOROBUBBBBBBBBBBBURURUBUBURBURUBURUDUBBBBBBBBBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB. શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું. તમે જ સત્ય છો, દિવ્ય અને અલૌકિક સત્તા તમે છો. આ પરમેશ્વરનું ધ્યાન તમારે ચાલુ રાખ્યા કરવું. પછી તમોને જણાય કે વાયુ-શ્વાસ, માંહી બહુ વખત સુધી રોકી શકાય તેમ નથી. એટલે ડાબું નસકોરું ઉઘાડી નાખવું અને તે વાટે માંહે લઈ, બંધ કરેલો શ્વાસ હળવે હળવે બહાર કાઢવો. આને રેચક ક્રિયા કહે છે. આ રેચક ક્રિયા કરતી વખતે મનની વૃત્તિને આત્માકાર કરી નાખવી અને દઢ ભાવના કરવી કે આ બહાર જતા વાયુ સાથે જ મારા મનનો મેલમાત્ર, સઘળી અશુદ્ધિઓ કુવિચાર, અજ્ઞાન, દુષ્ટપણું અને પાપરૂપ મળ નીકળી જાય છે-ધોવાઈ જાય છે. એ બહાર જતા વાયુ સાથે નબળાઈ અને દુબળાઈ માત્ર ચાલી જાય છે. એ પછી દુર્બળતા કે અજ્ઞાન રહેતાં નથી. ભય કે કલેશ પણ નથી રહેતા. ખેદ, ઉદ્વેગ, ઉદાસી વગેરે પાપો પડી રહી શકતાં જ નથી. ઉપાધિમાત્ર, તાપમાત્રનાશ પામે છે. માંહે પૂરેલો વાયુ આમ નીકળી જાય એટલે બન્ને નસકોરાં ઉઘાડી નાખવાં. પણ વાયુને-શ્વાસને અંદર લેવો નહિ. નાક ઉપરથી હાથ ઉઠાવી લેવો. તમારાથી બનતા બધા યત્નોથી વાયુને અંદર આવવા દેવો નહિ. શ્વાસને બહાર રાખવાની અને અંદર નહિ આવવા દેવાની આ ક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે મનને નકામું રહેવા દેવું નહિ અને એકાગ્ર ચિત્તથી સંપૂર્ણ મનોબળ-આત્મબળ વાપરીને “આ ઉપાધિ રહિત કેવળ શુદ્ધ સિદ્ધસ્વરૂપ હું પોતે છું.” એવા અવિચળ ધ્યાનમાં મગ્ન રહેવું. દેશકાળનો મને બાધ નથી, મારું આત્મસ્વરૂપ દેશ, કાળ, કારણ અને પુદ્ગલોથી પર છે. જગતની કોઈ પણ ઉપાધિ અથવા 378BSBUBUBURBEERBOROBURKROSSVERREBBBBBBBBBBBBBBBBBBBBBBURBERRVERRUBURBURURUA GRUBUBURBERRORUBURBERRRRRRREBBBBBUBURBBBB 29 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy