SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યનિદીપિકા 8888888888888888888888888888888888888 8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 એટલે તે કેટલો ઉપયોગી-ઉપકારક અને લાભકર્તા છે એ તમે હું તમારી મેળે જ અનુભવી જાણી શકશો. માથું ભમતું હોય, ચકરી આવતી હોય, મનમાં બેચેની જણાતી હોય ત્યારે ત્યારે બતાવેલી રીતિ મુજબ પ્રાણાયામ કરવાથી તમારા મનને તે જ સમયે શાંતિ મળશે અને પ્રાણાયામની આ રીતિનો ઉપયોગ તમારા સમજવામાં આવશે. જ્યારે તમારે કોઈ વિષય ઉપર નિબંધ લખવાનો કે વિચાર કરવાનો હોય અને તેમાં વ્યવસ્થાસર વિચાર ન આવતા હોય, મનની એકાગ્રતા ન થઈ શકતી હોય ત્યારે પ્રાણાયામ કરો અને જુઓ કે કેવો ચમત્કાર થાય છે. જે વિષયનો નિબંધ તમે લખતા હશો તે વિષયમાં તમે એવા તો તલ્લીન થઈ જશો અને વિચારો એવા તો સંકલનામાં બરાબર ગોઠવાયેલા સુસંબદ્ધ આવશે કે તે જોઈને તમને મોટો અચંબો લાગશે. પેટની પીડ, માથાનું કળતર, ફેફસાં અને હૃદયનો રોગ તેમ જ તેવા બીજા રોગો પણ પ્રાણાયામના અભ્યાસથી મટી જાય છે. હવે પ્રાણાયામ કરવાની રીતિ તપાસીશું. પ્રાણાયામ કરવાની અનેક પદ્ધતિઓ છે. પણ હું જે પદ્ધિત બતાવું છે તે અનેક વર્ષોથી કસોટીએ ચઢીને ઉત્તમ છે ઠરેલી છે. પ્રાણાયામનો અભ્યાસ આ પદ્ધતિસર જેણે કર્યો છે તેને બહુ સારો લાભ મળ્યો છે એમાં શંકા નથી. પૂરક-કુંભકરેચક પ્રાણાયામનો અભ્યાસ કરવા બેસવું હોય ત્યારે તમારે સુખરૂપ, સહજ અને સ્થિર આસનથી એકાગ્ર મને બેસવું જોઈએ. જમણા પગને ડાબા પગના સાથળ ઉપર અને ડાબા પગને જમણા પગના સાથળ ઉપર એમ ઉલટસૂલટ પગ હું ચડાવીને પદ્માસન કરીને બેસવું. આ આસન પ્રાણાયામના GBBURURUBUROBOROBOROBUDURGRUBUBURURURUBURBEERBRUIKERBRAURBERRESKEURUEBACAURU. 8888888888888888888888888888888888888888888888૨૧૯ી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy