SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888888888888888888888, નહી.પકા 888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે નીચા ઊતરતા મનને પવન સાથે અંગૂઠા ઉપર લાવવું અને હું ત્યાંથી નાભિમાં લાવી પવનને ધીમે ધીમે બહાર કાઢી નાખવો. આ પ્રમાણે અભ્યાસ ચાલુ રાખવો. આ અભ્યાસથી મનને પવન સાથે આખા શરીરમાં ફેલાવવાનું બળ આવશે. પછી આ અભ્યાસની જરૂર રહેશે નહિ, પણ મનને આખા શરીરમાં એકીકાળે ફેલાવી-શરીરમાં વ્યાપ્ત કરી-સ્થિર બેસવાની લાંબા વખત સુધી ટેવ પાડવી. આ પ્રમાણે સ્થિર બેસી રહેવાથી મન સ્થિર થશે, વિકલ્પો ચાલ્યા જશે, મન સ્થિર થાય, વિકલ્પો આવતા અટકે કે તરત જ પરમાત્માના શુદ્ધ સ્વરૂપની ધારણા હૃદયમાં કરી તેમાં તે સ્થિર મનોવૃત્તિને જોડી દેવી અને તે શુદ્ધસ્વરૂપમાં ન જાગૃતિ સાથે મન ગળી જાય અને તે પરમાત્મા સ્વરૂપે જ મન લીન થઈ રહે તેવો અભ્યાસ વધારતા રહેવું. આત્માના શુદ્ધ સ્વરૂપની ધારણા કરવાથી આત્મસ્વરૂપમાં સ્થિર થવાશે. આનંદ ઊછળશે અને પરમશાન્તિ અનુભવાશે. આ સર્વ પ્રાણાયામનું ફળ છે અને પ્રાણાયામ કરવાનું પ્રયોજન છે. છતાં આ સર્વ હઠયોગ છે. મન ઉપર બળાત્કાર કરવા જેવું છે. હઠયોગમાં મુખ્ય પવનને વશ કરી મનને વશ કરવાનું છે. રાજયોગમાં મનને વશ કરવાથી પવન સ્વાભાવિક રીતે વશ થઈ જાય છે. પ્રાણાયામની ચાલુ રીત સ્વામી રામતીર્થ આ પ્રમાણે જણાવે છે. પ્રાણાયામ કરવાથી લાભ શો ? આ પ્રશ્નનો ઉત્તર એટલો જ આપી શકાય છે કે પ્રાણાયામ કરવાની રીત શીખો અને તે રીતે જાતોજાત પ્રાણાયામનો અભ્યાસ કરી જુઓ, BURURKEERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRSBURBEGRERERURUHUSURUBURURURGRUBURBABEBBS RTC B&BSRBBBBBBBBBBBBBBBBBBRABRAURBERREURBES Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy