SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Callot Ellys, PUREBEREBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB BBBBBBBBBBBBURUBURBURUDUBBBBBBBBBBBBBBBBBBBBBBURBRUBBBBBBBURU BUBURURSUS ટૂંકામાં વાયુ જય થયાની નિશાની એ છે કે શરીરના કોઈ પણ ભાગમાં પીડાકારક રોગ કે દુઃખ થતું હોય ત્યાં તે તે ભાગ ઉપર પવનને કુંભક કરી સ્થિર કરવો. થોડા જ વખતમાં તે રોગ કે દુઃખ નિવૃત્ત થાય. ત્યારે સમજવું કે પવન જિતાઈ ગયેલ છે. પવન જયનો અભ્યાસ કર્યા પછી મનનો જય કરવા પ્રયત્ન કરવો. મનોજયનો અભ્યાસ - સિદ્ધાસન કરી સ્થિર ટટાર બેસવું, પ્રથમ રેચક કરી અંદરના તમામ મલિન વાયુને બહાર કાઢી નાખવો. પછી નાસિકાના ડાબા છિદ્રથી ધીમે ધીમે પવનને અંદર ખેંચી, પુરાય તેટલો પૂરવો. મનથી ધારણા કરવી કે પગના અંગૂઠા સુધી પવન પુરાયેલો છે. પવનની સાથે મન પણ ધારણાથી ધારેલા સ્થળે રહે છે. એટલે પ્રથમ ધારણા કરવી અને તે બહારથી પૂરેલો પવન શરીરમાં અકળામણ આવ્યા વિના રોકાઈ રહે તેટલા વખતમાં એક પછી એક ધારણાના સ્થાનને ઝડપથી બદલાવતાં જવા. ૧. પ્રથમ ડાબા પગના અંગૂઠા ઉપર, ૨. પછી પગના તળિયાં ઉપર, ૩. પાનીમાં, ૪. પગની ઘૂંટીમાં, ૫. પગની પિંડીમાં, ૬. ઢીંચણમાં, ૭. સાથળમાં, ૮. ગુદામાં, ૯. લિંગમાં, ૧૦ નાભિમાં, ૧૧. પેટમાં, ૧૨. હૃદયમાં, ૧૩. કંઠમાં, ૧૪. જીભ ઉપર, ૧૫. તાલુમાં, ૧૬. નાકના અગ્રભાગ ઉપર, ૧૭. નેત્રમાં, ૧૮. ભ્રકુટિમાં, ૧૯. કપાળમાં અને ૨૦. માથામાં એમ એક પછી એક સ્થાનમાં આગળ વધતાં પવન સાથે મનને બ્રહ્મરંધમાં લઈ જવું. ત્યાર પછી પાછા અનુક્રમે જમણી બાજુના ભાગથી BRUGEBEURESBRURUBURUDURUBUBURUBUBUBURUDURUBBELRURURUBURBURURUBUBUBURBURUBURO SAUBURDURUBURBGEBRUEGBURGBORRUBEDEROBODE 299 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy