SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ allo INSI BEBUBURBBBBBBBBBBBBURBBBBBBBBBBBBB. BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUEURREURBROERRES જેમ કે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાનઃ આ પાંચ પવન છે. - શ્વાસોચ્છવાસનો વ્યાપાર કરનાર પ્રાણ પવન છે. મૂત્ર વિષ્ટાપ્રમુખને શરીરની બહાર કાઢનાર અપાનવાયુ છે. અન્ન પાણીથી ઉત્પન્ન થતા રસોને યોગ્ય સ્થાને પહોંચાડનાર સમાન વાયુ છે. રસાદિને ઊંચે લઈ જનાર ઉદાન વાયુ છે અને આખા શરીરમાં વ્યાપીને રહેલો વ્યાન વાયુ છે. પ્રાણવાયુ હૃદયના ભાગમાં રહે છે, અપાનવાયુ ગુદાના ભાગમાં રહે છે, સમાનવાયુ નાભિ આગળ રહે છે, ઉદાન વાયુ કંઠના ભાગમાં રહે છે, વ્યાન વાયુ ચામડીના તમામ ભાગોમાં રહે છે. - આ પાંચે વાયુનો જય કરવા માટે પાંચ બીજ મંત્રો છે. ° છે કે, વૈ', રો , એ અનુક્રમે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન તે એક એકનો એક બીજમંત્ર છે. સિદ્ધાસન કરી બેસવું, બહારથી નાસિકા દ્વારા પવન અંદર ખેંચવો, જે પવન સિદ્ધ કરવો હોય તે પવનના સ્થાન ઉપર તે પવનને રોકવો, હડપચી નીચી નમાવી છાતીના ભાગ ઉપર રાખવી, જેથી પવન માથા ઉપર ચડી ન જાય કે બહાર તરત નીકળી ન જાય. પછી તે પવન રોકેલા સ્થાન પર તેના મંત્રબીજનો જાપ કરવો. તે મંત્રનો જાપ મનથી કરવો અને આંતરદષ્ટિથી તે મંત્ર-અક્ષરની આકૃતિ-અંદર દેખાય તેમ જોયા કરવું. પવન હું ન રોકી શકાય ત્યારે ધીમે ધીમે પાછો છોડી દેવો. ફરી પાછો તે રીતે પૂરવો. અને તે જ સ્થાન પર રોકવો. ત્યાં પાછો મંત્રબીજનો જાપ કરવો. અને તેની આકૃતિ તે તે સ્થાનમાં PROBUDURUBURGERBOROBBBBBBBBBBBBBBBBBBBURUBURBERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBAT 8888888888888888888888888888888888288888888888888888૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy