SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ BRORSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRRC Zilot Elfysi BUBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURUBRIK છે બળ ઘટે છે. પૂરવામાં જે વખત લાગ્યો હોય તેથી અનુક્રમે ચડતાં બમણો, ત્રણગણો અને ચારગણો વખત રોકવો. અને બમણા વખતમાં બહાર કાઢવો. શરૂઆતમાં થોડો રોકાય તો પણ હરકત નથી. આ પવન બહારથી અંદર લેતી વખતેખેંચતી વખતે એવો સંકલ્પ કરવો કે સૂર્યમાંથી આ એક મહાન શક્તિને હું અંદર ખેંચું છું જે મને નીરોગી થવામાં મહાન મદદગાર થશે. પવનને સ્થિર કરતી વખતે એવો સંકલ્પ કરવો કે નીરોગીપણાના સત્ત્વવાળી શક્તિ મારા શરીરમાં મજબૂત રીતે દઢ થાઓ અને પવનને બહાર કાઢતી વખતે એવો સંકલ્પ કરવો કે મારા રોગનાં ખરાબ તત્ત્વો બધા બહાર નીકળી જાય છે અને શરીર નીરોગી બન્યું છે, મારું મન નિર્મળ થયું છે, ઈત્યાદિ વિચારો ત્રણ વખત કરવાથી મન બીજા વિચારોમાં જાય નહિ. આ સંકલ્પ દ્વારા શરીર નીરોગી થવા સાથે મન નિર્મળ થાય. પવન લેતી વખતે, સ્થિર કરતી વખતે અને બહાર કાઢતી વખતે ૐકારનો અથવા પરમેષ્ઠીમંત્ર ૩ઝ મર્દ નમ: આ મંત્રનો પણ જાપ કરવામાં આવે છે. રેચક, પૂરક, કુંભક તે સિવાય પણ ઘણી જાતના પ્રાણાયામો છે, પણ તે સર્વમાં લાંબા કાળના અભ્યાસની જરૂર છે. છતાં તે સર્વ કરીને પ્રાપ્ત કરવા લાયક જે છે તે એ જ કે મનને સ્થિર કરવું. કેટલાક પ્રાણાયામો શરીર નીરોગતા માટે ઉપયોગી છે. પવનનો જય કરવા પછી જ તે પ્રાણાયામો રોગ મટાડવાને ઉપયોગી થાય છે. પવન જય કરવાનો ઉપાય પવન તો એકનો એક જ છે પણ જુદા જુદા સ્થાને તે જ રહેતો હોવાથી તેનાં નામો જુદાં જુદાં પાડવામાં આવે છે, BBBBBBBBBBBBBBBBBBEROBERUBBBBBBBBBBBBBBBRERUBUBURBURURUBURRRRROBOROBUDUB R98 PBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy