SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ zilon EITUSI PUBBBBBBBBBBBBBBBBBBBBBBBORBRUSERER SREBUBBBBBBBBBGRUBERBABBUBRUBBBBBBBBBBBBBBBBBBBBUBUBBBBBBUBURUBBBBBBBBB. હું ડગલું આગળ વધે છે. અમુક વખત સુધી ખાવાની ઈચ્છા છે હું રોકી તે સાથે શરીર દુર્બળ થતાં મનના કે શરીરના વિકારો પણ દુર્બળ થાય છે પણ વખત જતાં પાછું પૂર્વનું રૂપ ધારણ કરે છે, કેમકે તેમાં આશાઓનાં-ઇચ્છાઓનાં બીજ રહેલાં છે. માટે તપશ્ચર્યા એવી કરવી જોઈએ કે ઇચ્છાઓનો પણ સાથે નાશ થઈ જાય. ઘણી વખત અજ્ઞાનદશામાં આ તપશ્ચર્યા જ ઇચ્છાની વૃદ્ધિનું કારણ બને છે, એટલે કોઈ પણ પ્રકારના, પછી તે આ ભવનું હોય કે પરભવનું હોય, પણ કોઈ જાતના સુખની આશાથી તપ કરવામાં આવે છે. તપ કરવાથી આપણને પુત્ર, પુત્રાદિની ધનની કે બીજી કોઈ પણ જાતની પ્રાપ્તિ થશે અથવા અન્ય જન્મમાં, દેવપણાની, રાજ્યની કે વહાલા મનુષ્યોના મેળાપની પ્રાપ્તિ થશે. આવી ઇચ્છાવાળા તપો કરવાથી કર્મ ખપતાં નથી, પણ ઊલટા શુભકર્મમાં વધારો થાય છે. તપ એવી રીતે કરવું જોઈએ કે ઇંદ્રિયોની હાનિ ન છે થાય, જ્ઞાનધ્યાનમાં ઓછાશ ન થાય પણ મનની શાંતિ સાથે વિષયોની ઇચ્છાઓનો નાશ થતો રહે. અમુક વસ્તુ ખાવાપીવાની કે ભોગવવાની ઇચ્છા થઈ કે તરત જ તેનો ત્યાગ કરવો અને તે ત્યાગથી મનમાં જરા માત્ર પણ ખેદ ન થાય, પણ ઇચ્છાનો રોધ થાય : આ તપ વધારે ઉત્તમ છે. વિકાર કરે તેવા રસોનો ત્યાગ કરવો. સાત્ત્વિક ખોરાક લેવો, થોડો ખોરાક ખાવો, સારી રીતે પાચન થાય તેવો હલકો ખોરાક લેવો વગેરે ધ્યાનમાં વિશેષ ઉપયોગી થઈ પડે છે. અને આહાર સિવાય રહી શકાય તે દિવસોમાં તો વિશેષ છે પ્રકારે ધ્યાનમાં સ્થિરતા થાય છે. પણ આહાર વિના રહી શકવામાં અમુક મર્યાદા-હદ છે. તે પ્રમાણે તપશ્ચરણ કરવાથી GOEDERBEGEBEUROBLEUEUEUBEBUERBURSBOBEBUBERBRUIKBERUBRUBBEBERABUBUBBELBURUA GBERGBEBOBOREREBBBBBBBBBBBBBBBBBBBBBBBBB3209 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy