SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 8 888888888888888888888888888888888888888888 નહીપિકા BBBBBBBBBBBBBBBBURURURUBURURUBURBRUIKBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURUBBBBB18 જ્ઞાન-ધ્યાનમાં વધારો થતો રહે છે. આહાર વિના રહી શકવાની મર્યાદા પોતાના શરીરની પ્રકૃતિ અને મનોબળ ઉપર વિશેષ આધાર રાખે છે. સ્વાધ્યાય આત્મસ્વભાવની જાગૃતિ આપે તેવાં આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન, શ્રવણ, પરાવર્તન કરવું (ભણેલું ગણી જવુંવારંવાર યાદ કરવું), આત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલ મહાનપુરુષોનાં જીવનચરિત્રો યાદ કરવાં, તેમણે જે માર્ગે ગમન કરેલું છે તે માર્ગ બરોબર સમજવો, જડચૈતન્યની ભિન્નતા કરી બતાવનારાં પુસ્તકો વાંચવા-સાંભળવાં, આત્મસ્વરૂપ પ્રાપ્તિના માર્ગના ભોમિયા સમાન આધ્યાત્મિક પુસ્તકો છે માટે વારંવાર તેમનું વાંચન કરવું, પોતાને જે માર્ગે પ્રયાણ કરવું છે તે માર્ગની માહિતી આપનાર, તે માર્ગમાં જાગૃતિ આપનાર-તે માર્ગમાં ઉત્તમ વિચારોની મદદ આપનાર વાક્યોની ટુંકી નોંધ રાખી વારંવાર (નિરંતર) તેનું વાંચન અને મનન કરવું ઈત્યાદિ સ્વાધ્યાય કહેવાય છે. તેમ જ મનની વિશુદ્ધિ કરવા માટે, સ્વાધ્યાય તરીકે પોતાના કોઈ પણ એક ઈષ્ટ દેવનો મંત્ર લઈ તેનો જાપ કરવો. ગમે તે જાતનો મંત્ર લો, પણ તેના ઉપર આપણને પૂર્ણ વિશ્વાસ-શ્રદ્ધા હોવી જોઈએ કે તે મંત્ર પરમાત્માના નામને જણાવનાર છે. આ મંત્ર ઘણો ટુંકો એટલે થોડા અક્ષરનો હોવો જોઈએ, કારણ તેનું વારંવાર રટણ-સ્મરણ કરવાનું છે. જે તેમ જ તેના ટૂંકા અર્થ ઉપર પણ ધ્યાન આપવાનું છે, તે લાંબા મંત્રમાં બનવું કઠિન પડે છે. આંખો ખુલ્લી રાખી, મન હૃદયમાં રાખી-એટલે અંતરદષ્ટિ હૃદયમાં રાખી જાપ કરવો. જાપ કરતી વખતે બીજા વિચારો અંદર ન આવી જાય તે PBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB ROCKBUBBBBBBBBBBBBBBBBBBBBBUBURURUBUBUBUBLE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy