SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ 8888 8888888888a8a8a88 888888&88888 38888888888888888 3888888 9988@@98988 ાનદીપિકા ભરોસો હોય છે અને સંતોષ પણ તેઓને જ આવી શકે છે. પૂર્વકર્મના પ્રમાણમાં પ્રારબ્ધ યોગે જે આવી મળે તેમાં સંતોષ માનવો. માણસ જાત ગમે તેટલી ઇચ્છા કરે પણ પ્રારબ્ધથી અધિક મળતું નથી, અને પ્રારબ્ધમાં હોય છે તો કોઈ લઈ જતું નથી. ન હોય તો કોઈ આપી દેતું નથી. આ જન્મ થયા પહેલાં પ્રારબ્ધ બંધાઈ જાય છે અને ધીમે ધીમે તે બહાર નીકળતું આવે છે. માટે પોતાના કર્મ ઉપર વિશ્વાસ રાખી પ્રયત્ન કરવો અને તેથી જે આવી મળે તેમાં સંતોષ માનવો. કર્યા સિવાય કાંઈ આવતું કે મળતું નથી એટલે પ્રયત્નની જરૂર તો છે જ, પણ જરૂરિયાત જેટલી જ. સંતોષ આવતાં ઇચ્છાઓ ઓછી થાય છે, મનની વિહ્વળતા મટે છે. હૃદય વિશુદ્ધ થતું ચાલે છે, આર્ત્ત-રૌદ્રધ્યાન થતું નથી. છતાં વ્યાવહારિક પ્રસંગોમાં સંતોષની જેટલી જરૂર છે તેટલી કે તેથી અધિક આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે અસંતોષ વધારવાની જરૂર છે. અર્થાત્ તેને માટે પ્રયત્નની પૂર્ણ જરૂર છે, નિરંતર ઉત્સાહ અને લાગણીપૂર્વક તે અભ્યાસ વધારતા જ રહેવું. a8a88 તપ મનની શુદ્ધિ માટે તપની પણ જરૂર છે. નિકાચિત કર્મો પણ તપથી નિર્જરે છે. તપ કરવાથી જેમ શરીર દુર્બળ થાય છે, તેમ મનને પણ દુર્બળ કરતા જવું જોઈએ. ઇચ્છાઓ મરવાથી જ મન દુર્બળ થાય છે. ઇચ્છાઓને હઠાવવી તે ખરેખર તપ છે, ઘણી વખત માણસો ઘણા દિવસો સુધી શરીરને ખોરાક આપતા નથી પણ સાથે ઇચ્છાઓનો નાશ કરતા ન હોવાથી દુર્બળ થયેલ શરીર પાછું ખોરાક લેવાથી મજબૂત થાય છે. અને ઈચ્છાઓ પહેલાં કરતાં પણ એક 205 JURURERUPEREREREREREKEKERERURURURURURURURUK Jain Education International 888888888888/88 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy