SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 21101 Elfusi PPBUBUR ROBERURUSPUBBBBBBBBBBBBBB, નિયમ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ પાંચ નિયમો કહેવાય છે. શચ શૌચ એટલે પવિત્રતા. બહારથી પવિત્રપણું, શરીરશુદ્ધ સ્વચ્છ રાખવું, વસ્ત્રો સ્વચ્છ પહેરવાં, રહેવાનો મુકામ સ્વચ્છ અને ખુલ્લી હવાવાળો હોવો જોઈએ, આજુબાજુના પદાર્થો એવા હોવા જોઈએ કે મનમાં સ્વાભાવિક જ શાંતિ ઉત્પન્ન થાય. REDOBBBBBBBBBBBBBBBBBBOROBUDURUBUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB આંતરશૌચ, મન, વચન, શરીરનું પવિત્રપણું રાખવું, છે મનમાં કોઈ અશુભ સંકલ્પ ઉત્પન્ન થવા ન દેવો, વચન સત્ય, પ્રિય અને હિતકર બોલવું. કઠોરતાવાળું, નિર્દયતાભરેલું કે અન્યને અપમાન લાગે, નુકસાન થાય કે સંતાપ થાય તેવું ન બોલવું. શરીરને શુભ વિચારોથી, ગુરુસેવાથી અને તેવાં જ ધાર્મિક ક્રિયાવાળા કર્તવ્યોથી એવું પવિત્ર કરી નાખવું કે તેના દરેક પરમાણુઓ ધાર્મિક ભાવનાથી, દયાની કોમળ લાગણીથી કે પરમાત્માના સ્મરણથી પવિત્ર તેજોમય અને શાંતિમય થઈ જાય. તમને જોતાં જ ગમે તેવા કઠોર હૃદયવાળા મનુષ્યના હૃદયમાં પણ દયાની કે કોમળતાની લાગણી અથવા પ્રેમ ઉત્પન્ન થાય. આ સર્વ શૌચની પવિત્રતા છે. અભ્યાસીઓએ નિરંતર આવી પવિત્રતામાં વધારો કરતા રહેવું જોઈએ. સંતોષ પરમાત્મા ઉપર કે કર્મ ઉપર વિશ્વાસ રાખનારા શ્રદ્ધાળુ લોકોને પોતાના ઉદરનિર્વાહ કે વ્યવહારના નિર્વાહ માટે પૂર્ણ HEBBERSUBURURUBURBURURUBURUAVARRARBURBURGRUBUBBELBAGAGBBBBBBBBBBBBRERA GBUBUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBERO4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy