SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ GIBEBUBBBURGBBBBBBBBBBBBBBHERRGRE ZI lol EITUSI છ00ઈચ્છ8%890898ઈચ્છિo%9છdછdછdછoછo@dછછછછછછછછછછછછછછછછછછછછછછછુધજ થવાથી ખરાબ હલકા વિચાર કરવાની ટેવ ધીમે ધીમે સદંતર નાશ પામશે, મન સ્વાધીન થશે. છેવટે આત્માના પૂર્ણ સ્વરૂપમાં ગળી જશે, માટે પ્રથમ સારા વિચારો કરવાની ટેવ મનને પાડવી એ મુખ્ય કર્તવ્ય છે. આવી જ રીતે અન્યની નિંદા કુથલી કરતાં વચનને અટકાવીને પરમાત્માના ગુણકીર્તનમાં, મહાન પુરુષોના ગુણાનુમોદનમાં ધાર્મિક ઉપદેશમાં કે કોઈને સન્માર્ગે ચડાવવામાં કે તેવાં જ કોઈ પરમાર્થને કામમાં વચનનો વ્યય કરવાથી વચન બોલવાથી થતા અનેક અપરાધો અટકે છે, પોતાથી આગળ વધી શકાય છે અને અન્યને ઉપયોગી રીતે મદદગાર છે પણ થઈ શકાય છે. તેવી જ રીતે શરીરને પણ ઉપયોગી કાર્યમાં, મહાન પુરુષોની સેવામાં, દેવાદિના પૂજનમાં, ધાર્મિક અભ્યાસમાં ધાર્મિક ક્રિયાઓમાં, ઉત્તમ પુસ્તકાદિ લખવામાં, કોઈને મદદ કરવામાં તપશ્ચરણ બ્રહ્મચર્યાદિ પાલનમાં, અને ઉપયોગી જીવોની સેવામાં, જોડી દેવામાં આવે તો અશુભ પ્રવૃત્તિ અટકી જાય છે. શુભમાં વધારો થાય છે અને છેવટે તે શુભમાંથી પણ શુદ્ધમાં પ્રવેશ કરી શકાય છે. આ પ્રમાણે સત્તર પ્રકારનો સંયમ કહેલો છે - શરૂઆતમાં આ સંયમનો આદર કરવાની પૂર્ણ જરૂર છે. આ સિવાય મનની મલિનતા ઓછી થતી નથી અને તે ઓછી થયા સિવાય આપણી યોગ્યતામાં વધારો થતો નથી અને યોગ્યતા સિવાય આપણાથી આગળની ભૂમિમાં પ્રવેશ થઈ શકતો નથી. આ સત્તર પ્રકારના સંયમને ધારણ કરનાર યમી કહેવાય છે. આ યમ તે યોગનું પ્રથમ અંગ છે. 88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 ROBREDBORGSUBORGBOGBBBBBBBBRSBOBEBSBBBBBBBA Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy