SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ RENERGRENERERENERERERE REDERERERERERERERERERGNEREREDGREREREREREREREN 8888 નદીપિકા 390336sW/૬ષ્ઠરખBS/9998988 એ સાધન છે. અંતરંગ ઇચ્છાનો-મમત્વનો ત્યાગ કરવો તે સાધ્ય છે. આત્મા શુદ્ધસ્વરૂપ છે. કર્મની કે રાગદ્વેષાદિની પરિણતિથી મુક્ત છે, નિર્મળ છે, તેના ઉપર આ કર્માદિની ઉપાધિ, આવરણ કે કર્મબળનો તદ્દન અભાવ છે, તે લક્ષ ધ્યાનમાં રાખી આત્માને નિરાવરણ સ્વરૂપે જાણવો, અનુભવવો તે અપરિગ્રહ સ્થિતિનું સાધ્ય છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન-ભાવકર્મ, તેની ચીકાશે કરી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ બંધાય છે. તેનો ત્યાગ કરવો, દેહ ઇંદ્રિયાદિ ઉપરથી મૂર્છા ઉતારી શુભાશુભ કર્મવિકાર તે પણ અત્માથી પર છે એમ જાણી તેનો ત્યાગ કરવો. પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો ઇંદ્રિયોનો નિગ્રહ કરવો એટલે તેમને નિયમમાં રાખવી. ઇષ્ટ વિષયોમાં રાગ કરવો અને અનિષ્ટ વિષયોમાં દ્વેષ કે ખેદ કરવો; એ સ્વભાવને અટકાવીને-બંધ કરીને-અનુકૂળ કે પ્રતિકૂળ જે ઉદય પ્રાપ્ત થાય-પ્રસંગે આવી મળે તેને આનંદથી વધાવી લેવો-હર્ષ કે ખેદ વિના ભોગવી લેવો તે ઇંદ્રિયનો નિગ્રહ છે. ઇંદ્રિયો પાંચ છે. સ્પર્શના, રસના, પ્રાણ, નેત્રો અને કાન. આ પાંચે ઇંદ્રિયોના વિષયોમાં રાગદ્વેષ ન કરતાં સમભાવે રહેવાની ટેવ પાડવી. કષાયનો જય ક્રોધ, માન, માયા (કપટ) અને લોભ, આ ચાર કષાય કહેવાય છે. ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ આ ચાર કષાયપ્રતિસ્પર્ધીઓ-શત્રુઓ છે. જ્યારે જે જે કષાયનો ઉદય થાય, ત્યારે ત્યારે તેનો જય મેળવવા માટે તે તે કષાયના પ્રતિસ્પર્ધીને સન્મુખ ઊભો કરી દેવો. જેમ ટાઢ વધારે પડતી 888888888 Jain Education International 888888888888&<%@8/ ૨૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy