SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888888888 88888888888 9909ઑસ્કરણ,રસાખ તસ્કરી9ન99 ધ્યાન દીપિકા હોય તો તેના પ્રતિસ્પર્ધી તરીકે અગ્નિ સામો સળગાવવાથી ટાઢ નાસી જાય છે. તેમ આ ચાર ક્ષમાદિને કષાયોના સન્મુખ રાખવાથી તેમનું બળ ઘટી જાય છે. મતલબ કે તેની સામે ક્રોધાદિ ટકી શકતા નથી. તે રીતે ચારે કષાયોનો જય થઈ જાય છે. ત્રણ દંડની વિરતિ જે વડે આત્મા દંડાય તે દંડ. મનદંડ, વચનદંડ અને કાયદંડ. આ ત્રણ દંડ છે. મનની, વચનની અને શરીરની અમુક જાતની હલકી પ્રવૃત્તિથી આત્મા દંડાય છે. દંડાય છે એટલે આત્માના ગુણો દબાઈ જાય છે. નવીન કર્મો તેના ઉપર ચડી બેસે છે, આત્માની અનંત શક્તિનું દબાઈ જવું, તેના ઉપર આવરણ આવવું તે જ દંડાવું અહીં સમજવું. તેવી પ્રવૃત્તિથી વિરમવું-પાછા હઠવું-તેવું કામ ન કરવું તે, તે તે દંડોની વિરતિ કહેવાય છે. ક્રમ એવો છે કે પ્રથમ શરીર દ્વારા ખોટી પ્રવૃત્તિ અટકાવવી, પછી વચન દ્વારા થતી ખરાબ પ્રવૃત્તિ અટકાવવી અને છેવટે મનને પણ ખરાબ વિચારો કરતાં અટકાવવું. શરીરને અમુક પ્રવૃત્તિથી અટકાવવું તે કામ પ્રથમ મનને અટકાવવા કરતાં સહેલું છે. જ્યાં સુધી શરીર પ્રવૃત્તિ નહિ કરે ત્યાં સુધી એકલા વિચારો તે કાર્ય સાધી નહિ જ શકે. પ્રથમ મન જ અટકી જાય તો વચન અને શરીર સ્વાભાવિક રીતે જ અટકી પડે છે એ વાત ખરેખર સત્ય છે. તથાપિ મન ઉપર પ્રથમ જ કાબૂ મેળવી લેવો એ જેને અશક્ય જેવું લાગે છે તેમને માટે પ્રથમ શીરાદિ ઉપર કાબૂ મેળવવો એ કાંઈક સહેલું થાય તેમ છે. 202 JURURURUZUKURUZUKURUZÜKÜRÜRÜRÜRÜKUTUKUTURUK Jain Education International 888888888. 8888888/aaa8a8a88888888&88 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy