SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ યાદuપકા 86ઠ્ઠ888888888888888888888888888888888888 D8D8N8888888N8A8888888888888888ASAHRSR88888IGH888R8888888888888888888 છે શુભ પુણ્યના પુદ્ગલો તરફ પ્રીતિ રાખવી, તેને મેળવવા પ્રયત્ન કરવો. આ કર્મવર્ગણાના પુદ્ગલો આત્માથી પર છે. પર વસ્તુ છે. તેને પોતાના કરી તેનો સંગ્રહ કરવો. કર્મનો છે સંગ્રહ થાય-આવાગમન થાય તેવી પ્રવૃત્તિ કરવી તે પણ એક જાતની ભાવચોરી છે, આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર જેટલું આવરણ આવે તે પારકી વસ્તુ હોવાથી ભાવચોરી છે. આ અંતરંગ પુણ્યાદિના અભિલાષાની-ઇચ્છાની નિવૃત્તિ કરવી તે ત્રીજું નિશ્ચય મહાવ્રત છે. વ્યવહારથી ચોથું મહાવત ઔદારિક અને વૈક્રિય એમ બે જાતના વિષયો છે. દેવીઓ કે દેવો સંબંધી વિષયસેવન તે વૈક્રિય કહેવાય છે અને મનુષ્ય તથા જનાવર સંબંધી વિષય સેવન તે ઔદારિક કહેવાય છે. આ બન્ને જાતિના વિષયોના મનથી, વચનથી, અને શરીરથી કરવા, કરાવવા અને અનુમોદન કરવારૂપે ત્યાગ કરવો, તે ચોથું મૈથુનવિરમણ અર્થાત્ બ્રહ્મચર્ય નામનું મહાવ્રત છે. આ મહાવ્રત પાળવામાં દ્રવ્યથી, દેવ મનુષ્ય અને જનાવર સંબંધી વિષયોનો ત્યાગ કરવો, ક્ષેત્રથી ઊર્ધ્વલોકમાં અધોલોકમાં અને તિર્યલોકમાં (સ્વર્ગ, મૃત્યુ અને પાતાળાદિ સ્થાનોમાં) આ મહાવ્રત પાળવું, કાળથી દિવસ હોય કે રાત્રિ હોય, સર્વ કાળે લીધેલ પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવો. ભાવથીરાગના કારણે કે દ્વેષના કારણે પણ વિષયસેવન ન કરતાં થાવત્ જીવપર્યત આ મહાવ્રતનું પાલન કરવું. નિશ્ચયથી ચોથું મહાવત આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, દેહાદિ ભાવથી તદ્દન અલગ છે, તે દૃષ્ટિ ધ્યાનમાં રાખી. અંતરંગ વિષયાભિલાષાનો ત્યાગ 09888BBBBBBBBBBBBBB BCBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBURBOBBY 838BBBBBBBBEERBRUIKEURBRURUBURBEREGRUBUBBB Ice Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy