SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દિપકા 8888888888888888888888888888888888888888ફ્રિ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB નિશ્વય અહિંસા રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય, પ્રમાદ, આદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે. રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે. રાગાદિ વિના કદાચ પ્રાણનો નાશ થાય તો પણ હિંસા લાગતી નથી. રાગાદિભાવને વશ થઈ, પ્રમાદથી વર્તન કરનારને જીવનો ઘાત થાય કે ન થાય. તો પણ નિશ્ચય હિંસા લાગે છે, કેમ કે આત્મા કષાય ભાવવાળો થઈ પ્રથમ પોતાના આત્માને હણે છે (કર્મથી આવરિત કરે છે). પછી બીજા જીવોની હિંસા થાઓ કે ન થાઓ પણ આત્મઘાત તો હું અવશ્ય થાય છે. માટે આત્મપ્રદેશ ઉપર કર્સરજ લાગવા ન દેવી, તેવા પરિણામ થવા ન દેવા, તે નિશ્ચયથી અહિંસા છે. વ્યવહારથી બીજું મહાવતા કોઈ પણ પ્રકારનું અસત્ય જૂઠું ન બોલવું, પણ પ્રિય, હિતકારી, સત્ય વચન બોલવું. ક્રોધથી, લોભથી, ભયથી અને હાસ્ય કરવારૂપ કારણથી એમ અસત્ય ચાર પ્રકારે બોલાય છે, તેનો ત્યાગ કરવો. દ્રવ્યથી સર્વ વસ્તુઓના સંબંધમાં અસત્ય ન બોલવું. ક્ષેત્રથી લોક અને અલોકના સંબંધમાં અથવા લોકના કોઈ હું પણ ભાગમાં રહી અસત્ય ન બોલવું. કાળથી દિવસે અગર રાત્રિએ અસત્ય ન બોલવું. ભાવથી રાગ કે દ્વેષના કારણે અસત્ય ન બોલવું, મનથી, વચનથી કે શરીરથી અસત્ય બોલવું નહિ, બોલાવવું નહિ અને બોલનારને અનુમોદન આપવું નહિ. આ બીજું મહાવ્રત છે. EBURURUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBV:UBBBBBBBBBBIKBUBUBUBB88BUBURO GRUZURUBBREROBERURUBURBRORURGBERGRBRUEBRERO ICO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy