SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ SBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB czllotellus PBBGROBOBORBEEBBBBBBBBBBRURUBBBBBURURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBORURERS સ્વભાવનું આલંબન કરવું. જ્ઞાનની આવી મહાન પરિપાક અવસ્થા તેને સમભાવ કહે છે. આ મારા-તારાપણાને ઉત્પન્ન કરનાર વિકલ્પોને હઠાવવા માટે વિષમભાવને દૂર કરવા માટે તેઓશ્રી લખે છે કે કર્મની વિષમતાથી ભિન્ન ભિન્ન આકૃતિઓ, સુખી, દુઃખી, રાગી, દ્વેષી વગેરે પરિણતિઓ ઉત્પન્ન થયેલ છે. તે કર્મની વિષમતાનો તમે વિચાર ન કરો, પણ જ્ઞાનાશ વડે આ આખા વિશ્વને સરખું જુઓ. દરેક આત્માઓમાં-જીવોમાં આત્મસ્વરૂપનો-જ્ઞાનનો સ્વભાવ રહેલ છે. તે જ્ઞાન સ્વભાવથી સર્વ જીવો સર્વ આત્માઓ એકસરખા છે. તેમાં જરા પણ ભિન્નતા તમે જોઈ નહિ શકો. જ્ઞાનગુણ જે પૂર્ણતા પામેલ છે આત્મામાં છે, તે જ જ્ઞાનગુણ આપણા જેવા અપૂર્ણ સ્થિતિ ભોગવતા જીવોમાં પણ છે. માટે જ્ઞાનગુણ સર્વમાં સરખો છે. તેમાં વિષમતા નથી. તે જ જ્ઞાનગુણની સાથે સર્વ આત્માઓને અભેદરૂપ જુઓ, એટલે તમારો આત્મા જ્ઞાન ગુણ વડે બીજા સર્વ આત્મામાં રહેલા જ્ઞાન ગુણ સાથે અભેદ એકરસ જેવો અનુભવ કરશે. આથી રાગદ્વેષની પરિણતિ વડે મારાતારાપણાના ભેદથી જે વિષમતા ઉત્પન્ન થતી હતી તે થતી અટકશે. કારણકે તે જ્ઞાનસ્વરૂપ આત્મા અને હું પણ જ્ઞાનસ્વરૂપ આત્મા. આવી રીતે આખું વિશ્વ પણ (સર્વ જીવો) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તો કોની સાથે ભેદભાવ રાખવો ! મારું તારું કરવું? વિષમતા માત્ર કર્મની ઉપાધિમાં રહેલી છે. જુદાં જુદાં કર્મને લઈ. જુદાં જુદાં શરીરો, જુદા જુદા વિચારો અને જુદા જુદા અનુભવો થાય છે. આ સર્વ કર્મની ઉપાધિ છે. તે ઉપાધિને માટે એમ માનો કે ઘડીભર તે ઉપાધિ સર્વ આત્માથી અલગ ઊભી રહી છે. તો તે વખતે તમે સર્વમાં BUBBBBBBBBBBBBBBBEROESBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB ne? BUBURUDUBBBBBBBBBBBBBUBUBURUHBRRRRRRRUBER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy