SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ lo EINS 3838.39888BBBBBBBBBBBBBBBBBBBBBBBBS પ્રકરણ છે REBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBURUZKBUBBELBBBBBBBBBBBBURUBURBURUBURUBUR ધર્મધ્યાનનું સ્વરૂપ प्रविश्याथ शमाम्भोधिं योगाष्टांगानि चिंतयेत् । दुष्टानुष्ठानतो भग्नो मनःशुद्धिकृते मुनिः ॥१७॥ દુઃખદાયી અનુષ્ઠાનથી વિરામ પામી-પાછા હઠી, મનની શુદ્ધિ કરવાને માટે મુનિએ સમભાવના સાગરમાં પ્રવેશ કરીને યોગના આઠ અંગનો વિચાર કરવો. ભાવાર્થ : ઉત્તમ ધ્યાનમાં મનઃશુદ્ધિની પૂર્ણ જરૂર છે. મન શુદ્ધ થયા વિના ધ્યાન થઈ શકતું નથી અથવા મન શુદ્ધ કરવા માટે ધ્યાનની જરૂર છે. મન શુદ્ધ હોય તો ધ્યાન થાય અને ધ્યાન હોય તો મનઃશુદ્ધિ થાય. આ પ્રમાણે બંને અન્યોન્ય કારણ છે. મન જેમ શુદ્ધ થતું ચાલે છે, તેમ ધ્યાન સ્થિરતા પામતું જાય છે; જેમ ધ્યાનમાં સ્થિરતા અનુભવાય છે, તેમ મન શુદ્ધ થતું ચાલે છે. ધીમે ધીમે બંને સાથે વૃદ્ધિ પામી, પૂર્ણ સ્થિતિએ પહોંચે છે. આ મનઃશુદ્ધિ માટે ખરાબ-આર્ત, રૌદ્રધ્યાનવાળા વિચાર કે અનુષ્ઠાનથી તો અવશ્ય પાછા હઠવું જ જોઈશે, પણ સાથે રે સમભાવમાં પણ પ્રવેશ કરવો પડશે. સમભાવ વિના સ્વભાવથી ચપળતાવાળું મન સ્થિરતા પામતું નથી કે વિશુદ્ધ બનતું નથી. વિષમ ભાવવાળા મનમાં વિષમ-વિપરીત ભાવના થાય { છે. તેથી મન વધારે મલિન થાય છે. સમભાવ માટે શ્રીમાન યશોવિજયજી લખે છે કે વિકલ્પો એ જ વિષય છે; તેથી પાછા હઠવું અને આત્માના શુદ્ધ GBBB BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBKBKBOX 88888888888888888888888888888888888888888888888૧૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy