SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ a8a8a8888888 888888888888888888 8888888888888888888 શ્રી રણનિરખુર્શીશ્યુરસ્કારસ્થર, ધ્યાન દીપિકા રૌદ્રધ્યાનના વિચારો અને કર્તવ્યો સંસારના હેતુભૂત નથી થતા એમ કહેવામાં એ તાત્પર્ય રહેલું છે કે કેટલાક મનુષ્યોમાં પૂર્વકર્મ એવી ગૌરવતાથી રહેલું હોય છે કે તે ખરાબની સાથે સારા કર્મનાં બીજો પણ હોય છે. આવાં નિમિત્તોથી-ખરાબ ભોગવાઈ ગયું હોય અને હવે સારાં કર્મનો ઉદય થવાનો હોય એ નિમિત્તથી તેની વિચારશક્તિ બદલાય છે. આ બાજુ પોતાના ખરાબ કર્તવ્યનો બદલો જે પોતાને અસહ્ય દુઃખરૂપ મળેલો હોય છે એટલે તે નિમિત્તે પણ વિચારશક્તિ બદલાય છે કે અહો ! જેમ મને આ દુ:ખ ખરાબ લાગે છે, સહન થતું નથી, મારા ઉપર બળવાન મનુષ્યો ત્રાસ વર્તાવે છે તે જેમ મને ઠીક નથી લાગતું, તેમ મારું વર્તન બીજાને કેમ ઠીક લાગતું હશે ? મને જે દુઃખ થાય છે તે ઠીક નથી લાગતું તો અન્યને કેમ લાગતું હશે ? મારા કર્તવ્યનો બદલો મને કેમ નહિ મળે ? ઇત્યાદિ વિચાર દ્વારા કે કોઈ પૂર્વજન્મના સારા સંસ્કારના ઉદયને લઈ મહાત્મા પુરુષોનો સત્સંગ થવાથી આ વિચારો પલટાઈ પણ જાય છે, એટલે સંસારના હેતુભૂત રૌદ્રપરિણામને વિખેરી પણ નાખે છે. તેથી તે ભાવો-પરિણામો સંસારના હેતુભૂત થતાં નથી. આથી એમ જણાવવામાં આવે છે કે સંસારના હેતુભૂત કારણો પણ કોઈ સુંદર નિમિત્ત વડે પરાવર્તન પામી સંસારથી છૂટવાના નિમિત્તરૂપ બને છે. પણ આવા પ્રસંગો કોઈ વખત જ બને છે. એટલે આર્ત્તધ્યાન કે રૌદ્રધ્યાનનાં નિમિત્તોનું પોષણ ન મળે તે માટે સાવચેતી રાખી, તેનાથી વિપરીત રીતે કોઈ એવા ઉત્તમ નિમિત્તરૂપ સદ્ગુરુ કે સત્સંગનું સેવન કરવું કે જેથી પૂર્વના ખરાબ પરિણામો પલટાઈ જઈ તેની જગ્યા ઉત્તમ પરિણામોને મળે. આ કહેવાથી રૌદ્રધ્યાન પ્રકરણ સમાપ્ત થયું. ૧૯૦ 888888888888&RY/88/938a8a8aa3a%a8@ Jain Education International For Private & Personal Use Only 88888888888888 88888888/9/%&Jag www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy