SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ GBPSBOBBY BIGBUBBBBBBBBBBBBBBBBBBBBB allo Eins/ P8888888888888888888888888888888888888888888888888888888BERENG HER8888888 છે નાના પ્રકારની જ્ઞાનાદિ સંપત્તિઓ ચારણ, શ્રમણ, અવધિ, હું મન:પર્યવાદિ લબ્ધિઓ અને અણિમા, મહિમા, ગરિમાદિ અષ્ટ સિદ્ધિઓ એના “ઈશ' માલિક અર્થાત તે જેઓને સ્વાધીન છે એવા યોગીવૃંદોથી વીંટાયેલા, સર્વજ્ઞમંડળને નમન કરે છે. આ સર્વજ્ઞમંડળ ઇષ્ટ દેવાવાળું છે. જન્મ મરણાદિથી નિવૃત્તિ પામી પરમ શાંતિમય સ્થિતિવાળું સ્વસ્વરૂપ અનુભવવું તે ઇષ્ટ છે અને તે સ્થિતિએ આ સર્વજ્ઞમંડળ પહોંચેલું હોવાથી તે ઈષ્ટ ઉપદેશાદિદ્વારા આપે છે. તે પરમ શાંતિમય સ્થિતિએ પહોંચવાનું કારણ નિષ્પાપસ્થિતિ છે. નિષ્પાપ-પાપરહિત થયા સિવાય આત્મજીવન ઉચ્ચસ્થિતિએ પહોંચી ન શકે એ રહસ્યને બતાવવા (નિષ્પા૫) આ વિશેષણ છે. તે સર્વજ્ઞમંડળ (પાપહં) પાપનો નાશ કરનાર છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવે છે. પોતે નિષ્પાપ હોવાથી યોગ્ય જીવોને ઉપદેશ દ્વારા યોગ્ય માર્ગ બતાવે છે અને તે સ્વાનુભવસિદ્ધ માર્ગ હોવાથી જેવી રીતે પોતે નિષ્પાપ થયા છે તેવી રીતે અન્ય યોગ્ય જીવોને પણ પાપ નાશ કરનાર (પાપ વિનાના) બનાવે છે; એટલે અન્યના પાપોનો નાશ કરનાર (કારણમાં કાર્ય ઉપચાર દ્વારા) આ સર્વજ્ઞમંડળ છે. આ સર્વજ્ઞમંડળ એકસાથે હોય કે જુદે જુદે પ્રસંગે આ પૃથ્વીતળ પર થઈ ગયેલ હોય; તે સર્વ સર્વજ્ઞમંડળને હું વંદન-નમન કરું છું. સર્વ સર્વજ્ઞમંડળ કહેવાથી આ ગ્રંથકારની સર્વ દેશકાળમાં થયેલા સર્વજ્ઞો પ્રત્યે સમદષ્ટિ છે એમ સૂચવે ઝિ8િ88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 વળી સર્વજ્ઞોના મતો જુદા હોતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ ઉપદેશ જુદો જુદો હોય છે, તથાપિ 9C TURGRUBERERERERGRUBERGEUR SUR EUROSURGERS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy