SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનેદuપકા $ 188888888888888888888888888888888888 fö8 KBBBBURUBURBSORBRUBUBLIBUBURUBGRUBURBUBBBBBBBBBBBBBBBUBBSBURBBBBBBURU BURU BUBUBE છે દ્રવ્ય હરણ કરવાનું મન કરવું યા મનમાં લાવવું તે અનાર્ય કામ છે-રૌદ્રધ્યાન છે. सद्दाइविसयसाहणं धणसंरखणपरायणमणिष्ठं । सव्वाभि-संकणपरो वघातकलुसाउलं चित्तं ॥४।। શબ્દાદિ પાંચ ઇંદ્રિયોના વિષયો મેળવવામાં સાધનરૂપ છે ધનના રક્ષણ કરવામાં તત્પર રહેવું. તેમાં પણ સર્વ મનુષ્યોથી શંકા પામતા રહેવું એટલે કોઈનો વિશ્વાસ ન કરતાં સર્વથી શંકા કરવી કે રખે ને આ મારું ધનાદિ લઈ જશે અને તે શંકાને લઈ પરનો (શંકાવાળા સર્વ જીવોનો) ઉપઘાત કરવા માટે કલુષિત-મલિન અને વ્યાકુલ ચિત્ત કરવું (મનમાં તેવા વિચારો કર્યા કરવા) તે અનિષ્ટ છે-રૌદ્રધ્યાન છે. તેનું પરિણામ ખરાબ છે. આ રૌદ્રધ્યાન કોને હોય છે ? કેટલા ગુણસ્થાનક સુધી હોય છે ? इय करणकारणांणुमइविसयमणुचिंतणं चउम्भेयं । अविरय देसा संजय, जणमणसं सेवियमहन्नं ॥५॥ આ પ્રમાણે (જીવોની હિંસાદિ) કરવા, કરાવવા અને અનુમોદન કરવારૂપ વિષયના ચિંતનવાળું રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે. આ (રદ્રધ્યાનના માલિક) અવિરતિ, અવિરતિસમ્યક્દષ્ટિ અને દેશવિરતિ (પાંચમા ગુણસ્થાન સુધીના જીવો છે) તે જીવોના મનથી ચિંતન કરાયેલું રૌદ્રધ્યાન અધન્ય છે, અકલ્યાણ કરવાવાળું છે, પાપકારી અને નિંદનીય છે. ધ્યાનનો પ્રસંગ હોવાથી મનથી સેવાયેલું કે ચિંતન કરાયેલું, એમ મૂળમાં લખવામાં આવ્યું છે કેમ કે ધ્યાનના ચિંતનમાં છે મનની પ્રધાનતા છે. GBBBARRRRREBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBERUBBBBBBBBBBBBBBBBBBBBBBAO GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBA69 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy