SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888 8888888 88.88888888888888888838/08/8888888</a38.889888388888888) 39.88 ઇસ્યુ98888888 ધ્યાનદીપિકા પરિણામનાં ફળ ભોગવવા માટે જીવોને નરક સિવાય બીજું યોગ્ય સ્થાન હોતું નથી. બસ થઈ રહ્યું ? મારું મારું કરી, જીવોને ત્રાસ આપી, જીવોનો નાશ કરી મેળવેલું ધન, પૃથ્વી અને સુંદર સ્ત્રીઓ, આમાંથી થોડું તો સાથે લેતા જાઓ ! ના શા માટે પાડો છો ? ઇચ્છા તો ઘણી છે પણ તે લઈ શકાય તેમ છે જ નહિ. ત્યારે હવે શું કરશો ? માખીની માફક હાથ ઘસતા જ જવાના ? પણ એટલાથી પતવાનું નથી. આગળ તો ચાલો. તમારી રાહ જોઈને પેલા માણસો બેઠા છે. શા માટે ? બદલો લેવા માટે. શાનો બદલો ? તેનો જ તો. બાપાનો માલ તો ન જ હતો ને ? આવા અનેક અનુભવો કરતો, મનના સંકલ્પોથી રૌદ્ર રૂપોને ખડાં કરતો છેવટે નરકગતિમાં આ પાપોનો બદલો અનુભવે છે. હે માનવો ! રૌદ્રધ્યાન અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન बहवारंभपरिग्रहसंग्रामै जंतुघाततो रक्षाम् । कुर्वन् परिग्रहादेः रक्षारौद्रिति विज्ञेयम् ॥९२॥ ઘણો આરંભ કરીને, ઘણો પરિગ્રહ મેળવીને, સંગ્રામ (લડાઈઓ) કરીને, અને જીવોનો ઘાત કરીને, પરિગ્રહાદિની રક્ષા કરતાં (રક્ષણ નિમિત્તે થતું રૌદ્રધ્યાન) તે રક્ષારૌદ્ર જાણવું. ભાવાર્થ : મેળવેલા ધન, ધાન્ય, પૃથ્વી, સ્ત્રી આદિના રક્ષણ કરવા નિમિત્તે જીવોનો સંહાર કરવા સુધીના વિચારો કરવા તે રક્ષારૌદ્રધ્યાન કહેવાય છે. જીવોનું ધાર્યું કાંઈ થતું નથી. જીવ ધારે છે કાંઈ અને બને છે કાંઈ જુદું જ. પુણ્યને આધીન લક્ષ્મી આદિ ભોગ્ય પદાર્થો રહેલા છે, પુણ્ય ઓછું Jain Education International 888888888888 ૧૮૪ ૩8888888888888888888888888&8K38s3@G#GKGR For Private & Personal Use Only 888888888 8488938/88888888\3\888888888883 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy