SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888888888888888888888&88888888888888888888838888888888 સ્વરક્ત 888888 88@8S9 888888 ધ્યાનદીપિકા જે મનુષ્ય તલના દાણા જેટલું પણ માંસ ભક્ષણ કરે છે તે ઘોર નરકમાં જાય છે અને જ્યાં સુધી સૂર્યચંદ્ર આ દુનિયા પ૨ ૨હે ત્યાં સુધી તે નરકમાં રહે છે, અર્થાત્ ઘણા લાંબા વખત સુધી નરકમાં દુ:ખ ભોગવે છે. આ છોકરો સરલ સ્વભાવનો હોવાથી શ્લોકનો યથાર્થ અર્થ કરી આગળ વાંચવા લાગ્યો. રાજાએ તે શ્લોકનો અર્થ સાંભળી વિચાર કર્યો કે થોડું પણ માંસ ખાવાથી નરકે જવું પડે છે, તો અમારાથી માંસનો ત્યાગ બની શકે તેમ નથી. નરકે તો જવું જ પડશે. તો પછી કથા સાંભળવાથી શું ફાયદો થવાનો છે ? ફોગટ વખત ગુમાવવો અને વર્ષાસન ભરવું; ઇત્યાદિ વિચાર કરી કથા બંધ કરાવી. બ્રાહ્મણને પોતાનો અભિપ્રાય જણાવી, હવેથી કથા વાંચવા ન આવવા જણાવી દીધું. છોકરો ઘેર આવ્યો. બ્રાહ્મણ પરગામથી ઘેર આવ્યો. કથા સંબંધી સમાચાર છોકરે જણાવ્યા. બ્રાહ્મણને ખેદ થયો. છોકરાને ઠપકો આપ્યો. મૂર્ખ ! એવી તે કથા રાજા આગળ વંચાય કે ? તેને અનુકૂળ પડતી જ વાતો કરવી જોઈએ વગેરે. છોકરો લાચાર થયો. બાપા ! મને તેવી સમજ ન પડી, તેથી જે પુસ્તકમાં આવ્યું તે વાંચી દીધું. બ્રાહ્મણ પોથી લઈ રાજા પાસે આવ્યો. કથા સાંભળવા જણાવ્યું. રાજાએ પોતાનો પૂર્વે નિશ્ચય કરેલો અભિપ્રાય જણાવ્યો. બ્રાહ્મણે કહ્યું, “મહારાજા ! છોકરાને કથા વાંચતા આવડતી ન હતી, તેથી તે શ્લોકના તાત્પર્યને ન સમજતાં ઉપરનો અર્થ આપને સમજાવ્યો છે (સંભળાવ્યો છે) બાકી તેનું રહસ્ય ઊંડું છે.” રાજાએ તે રહસ્ય જણાવવા કહ્યું. બ્રાહ્મણે પોતાના સ્વાર્થને ખાતર, પ્રપંચ કરી જવાબ આપ્યો અને તેમાં તે વિજયી થયો. Jain Education International 88888999393393388839&#988@X For Private & Personal Use Only B\\T [140 BERGKEREKEKURERERERERERERERERERERERERERETUR 3893893833/384888888888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy