SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888888888888888888888888888888888, દિપકા PROPORBEEBERBRURUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBE છે ગયેલા ઈશ્વરનું અનુકરણ કરતા હોય તેમ વિવિધ પ્રકારની લીલાઓ (ક્રિીડાઓ) અન્ય સેવકોની સ્ત્રીઓ સાથે કરવાને પણ ચૂકતા કે શરમાતા નથી. મનુષ્યોએ સમજવું જોઈએ કે કોઈ પણ મત કે પક્ષવાળાને મોક્ષનો અધિકાર મળ્યો નથી કે તે તેમના હાથમાં પણ નથી કે કોઈએ રજિસ્ટર પણ કરાવ્યું નથી કે તેમને જ મોક્ષ મળે. તેમના સંપ્રદાય સિવાય બીજાને ન જ મળે તેવું કાંઈ નથી. મારે તેની તરવાર છે, બાંધે તેની નહિ. તેમ જ પોથાઓમાં “અમારા મતમાં જ મોક્ષ છે બીજાને અધિકાર નથી' તેમ લખી મારવાથી મોક્ષ મળતો નથી પણ શૂરવીર થાઓ, દેહ અને ધનાદિના મમત્વનો ભોગ આપો, આત્માને ઓળખો. અને તેનો સાક્ષાત અનુભવ લેવાને માટે પ્રયત્ન કરો. પ્રયત્ન કરનારને જ મોક્ષનો અધિકાર છે. ગમે તે પ્રયત્ન શું કરે તેને પરમશાંતિ મળી શકે તેમ છે. આ સિવાય દૂધ વિનાની ગાયને ગળે ટોકરો કે ઘંટ બાંધવાથી જેમ તેનું વધારે મૂલ્ય આવતું નથી, તેમ બાહ્યાડંબરી અને વાચાળતાવાળા ધર્મની કિંમત કાંઈ નથી. કિંમત તો તે જ ધર્મની છે, જે પરમશાંતિ આપે, જન્મમરણાદિની આગ બુઝાવે, આતમાનું સત્ય સ્વરૂપ અનુભવાવે. આવા અત્યાચારી, લોકોને ઠગનારાઓ, ઠગવા નિમિત્તે શાસ્ત્રો બનાવનારાઓ, અનેક જીવોને ખોટે માર્ગે દોરનારાઓ પોતે દુર્ગતિમાં જાય છે અને અન્યને દુર્ગતિમાં લઈ જવાના પ્રવાહવાળો માર્ગ ખુલ્લો મૂકતા જાય છે. આ શાસ્ત્રો રૌદ્રધ્યાનને પોષણ કરનારા હોવાથી તે રૌદ્રધ્યાન જ છે. તેવી જ રીતે હિંસાને પોષણ આપનારા શાસ્ત્રો બનાવનારાઓ તે પણ પોતાના એક થોડા વખતના 88 88 ജിജ899888888888888888888888888888888 LOCBBBBBBBBBBBBBBBBBBBBBUBURBEUBEBOPBREREBBE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy