SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા //GR6B/RGR મારો ! કાપો કાપોના પોકારો જ્યાં થઈ રહેલા છે, જીવતાં ને જીવતાં માણસોને સળગાવી દેવા-ચીરી નાખવા કે ગોળીબાર કરવા તેવાં કામો પણ એક લોભને માટે જ ! ક્રોધની શાંતિને માટે જ ! વેર લેવાને માટે જ ! માન સાચવવાને માટે જ ! 3893838/88 03:38 અહા ! લોભની લોભાંધતા કે ક્રૂરતા માટે શું વર્ણન કરવું ? ભગવાન ઋષભદેવના પુત્રો ભરત ને બાહુબળી જેવા બન્ને ભાઈઓ પણ આવી રૌદ્ર ભયંકરતા સુધી પહોંચ્યા હતા કે જે તે જ ભવમાં નિર્વાણ પામનાર હતા. તો બીજાઓને માટે તો કહેવું જ શું ? બધા કરતાં લોભ તો વિશેષ પ્રકારે રૌદ્રધ્યાનનું મુખ્ય મથક તરીકે પ્રખ્યાતિ પામેલું સ્થળ છે. આ ચારે કષાયો નિરંતર જેના હૃદયમાં સળગતા જ હોય છે, જાજ્વલ્યમાન થઈ રહેલા હોય છે, તેઓને રૌદ્રધ્યાન આવતાં વાર લાગતી નથી. 3/38/ મદથી ઉદ્ધત થયેલા મનુષ્યો કે જીવોમાં પણ રૌદ્રધ્યાન કારણ મળતાં બહાર નીકળી આવે છે. ધનનો મદ, બળનો મદ, કુળનો મદ, અધિકારનો મદ, વિદ્યાનો મદ, ઈત્યાદિ મદથી જેનો ઉદ્ધત સ્વભાવ થઈ રહ્યો હોય છે, વિદ્યા કે કળા, ધન કે અધિકાર ઈત્યાદિનું જેને અજીર્ણ થયું છે, પાત્ર ઓછું હોય અને તેમાં વસ્તુ વધારે મૂકવામાં આવતાં તે બહાર નીકળી પડે છે. તેવી રીતે સામાન્ય મનુષ્ય કરતાં મળી આવેલી કાંઈ પણ અધિકતાને, પોતાની અયોગ્યતાને લઈ જીરવી ન શકવાથી ઉદ્ધતાઈથી બહાર છલકી વળે છે. આવા મદથી ઉન્મત્ત થયેલા. ઉદ્ધત જીવોમાં રૌદ્રધ્યાન સ્વાભાવિક રીતે નિવાસ કરીને રહે છે; પાપતિ ઃ જેઓની બુદ્ધિ નિરંતર પાપમાર્ગમાં વર્ત્યા કરે છે, પાપના વિચારો અહોનિશ કરતો હોવાથી તે વિચારો KUKURURURURURERERERERERETETUTURURUKUTEKERY 193 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy