SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ IGJENEREREREREREREREREN VIERE DE RE REGEREGTENERERERERENE G D G Z Z ધ્યાનદપક ર€8888888888jatJ કરી હોય, તે દેખીને, સાંભળીને, વાંચીને પોતે રાજી થાય છે. આ રૌદ્રધ્યાન છે. ઓ મહાન ઇચ્છાવાળા જીવો ! તમે પોતે સુખી થવાને, નીરોગી થવાને, કલેશરહિત જીવન ગુજારવાને કે લાંબું જીવન ટકાવવા માટે ઇચ્છાઓ કરો છો; તો બીજા જીવોની ઇચ્છાઓનો, બીજાના આરોગ્યનો, બીજાના સુખોનો કે બીજાના જીવનનો તમે શા માટે નાશ કરો છો ? શું તમે એકલા જ આ દુનિયામાં સુખી થવાને કે જીવવાને લાયક છો ? તમોને જ તમારું જીવન વહાલું છે ? બીજાને શું વહાલું નહિ જ હોય ? ઓ અજ્ઞ જીવો ! વિચાર તો કરો. પગમાં એક કાંટો વાગે છે, સહેજ ઠોકર વાગે છે, કે થોડો નાનો સરખો શસ્ત્રાદિનો ઘા વાગે છે તેટલામાં તમે આકુલવ્યાકુલ થાઓ છો, તમારી સારવાર માટે બીજાની મદદ માંગો છો, તો શું બીજાને દુઃખ નહિ થતું હોય ? બીજાઓ અન્યની મદદની આશા શું નહિ રાખતા હોય. તમે પોતે બીજાને મદદ આપવાની વાત તો દૂર રાખો, પણ બીજાના જાન લેવાથી કે હેરાન કરવાથી પણ જ્યાં સુધી પાછા ન હઠો ત્યાં સુધી તમારે પોતાને પણ સુખી થવાની ઇચ્છા શા માટે રાખવી જોઈએ ? બીજાની પાસેથી મદદ લેવાની આશા શા માટે રાખવી જોઈએ અને તમને મદદ પણ શા માટે મળી શકે ? સમજુઓ ! સમજો. લો અને દો, આપો અને મેળવો, કરો અને પામો. નિયમથી વિરુદ્ધ વર્તન ન રાખો. અત્યારે બળવાન થઈ છૂટશો, પણ છેવટે તમે પણ ઝપાટામાં આવશો. કોણ અમર રહ્યું છે ? અભય આપનારાઓ જ નિર્ભય થયા છે. શાંતિ આપો અને પછી શાંતિ ભોગવો. KURURURURURGAURETEREREKEKURERERURURUKURERE IĘC Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy