SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 9.SRRHAGWરણામ ખરખરW848Kધ્યાનદીપિકા સદ્દહવારૂપે તે માર્ગે હૃદયમાં જાગૃતિ લીધેલી છે તે અવિરતિ કહેવાય છે. પહેલાથી ત્રીજા ગુણસ્થાનક સુધીના જીવો પણ અવિરતિ કહેવાય છે. તથાપિ તેમાં અને ચોથા ગુણસ્થાનવાળા જીવોમાં જે તફાવત છે તે એ છે કે તે ભૂમિકાવાળાઓને તો આત્માને જાણવા-સદ્દહવાપણું પણ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને સમજી જડથી ભિન્ન માનવા જેટલું આવરણ પણ ઓછું થયેલું નથી. પુદ્ગલના ઉપભોગથી વિરામ પામવાની ઇચ્છા પણ થતી નથી એટલું જ નહિ. પણ પુદ્ગલોના ઉપભોગ લેવા એ જ કાર્ય કે કર્તવ્ય મનાયેલું હોય છે અને ઓધસંજ્ઞાએ ધર્મ તરફ વલણ થયેલું હોય તો પણ વ્યવહારના પ્રસંગોમાં સુખી થવાય કે અન્ય જન્મમાં અનુકૂળ ઉપભોગો મળે તેટલા પૂરતું હોય છે. ત્યારે આ ભૂમિકાવાળાને આત્માનો નિશ્ચય થયેલો હોય છે. જેવે રૂપે જાણ્યું છે, તેવે રૂપે અનુભવ નથી પણ તે તરફ હવે તેને પ્રયાણ કરવાનું હોય છે. એટલે આનું લક્ષ્ય આત્મજ્ઞાન જ હોય છે. અવિરતિવાળા બન્નેને આર્ત્તધ્યાન હોય છે, છતાં બન્નેના આર્ત્તધ્યાનમાં તફાવત ઘણો હોય છે. દેશવિરતિ-દેશથકી થોડા ભાગની વિરતિ કરનાર-આત્મા તરફ લક્ષ રાખી ઇચ્છાઓનો નિરોધ કરનાર-પાંચમી ભૂમિકા યા ગુણસ્થાનવાળા જીવો, તેને પણ આર્ત્તધ્યાન અમુક ભાગે ઈષ્ટ વિયોગાદિ સંબંધી હોય છે. છઠ્ઠા ગુણસ્થાનવાળા-સર્વ વિરતિધારી મુનિઓ, ત્યાગી પ્રમાદમાં પડતાં તેમને પણ આર્તધ્યાન થઈ આવે છે, છતાં પૂર્વના ગુણસ્થાનક કરતાં ઘણું જ મંદ મંદ આર્ત્તધ્યાન હોય છે. તેના કારણો પૂર્વે બતાવી આવ્યા છીએ. ૧ ૬૬ ૩8888888888888883.98a8a8888888888888888888 Jain Education International 888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy