SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ યાને દuપકા 688888888888888888888888888888કે8 (888888 KERSBERURUBUROBOROBUBURUZAUBERGREPUBBBGERBERCRURGRUBERGBOROBOBOBOBOBOBORUBE છે શરીર ધારણ કરવામાંથી કાંઈક સ્થૂળ શરીર ધારણ કરવાપણું હોય, ઓઘસંજ્ઞાએ પણ ધર્મ જેવી વસ્તુ તરફ લાગણી હોય, પછી ભલેને અધર્મ હોય, તથાપિ કાંઈક સારી આશાથી ધર્મ તરફ વલણ થયેલું હોય ઈત્યાદિ જરાતરા ઓધસંજ્ઞાએ પણ (ખરી સમજ ન પડે તેવી રીતે પણ) તેટલો ગુણ પ્રકટ શું થયેલો હોય તેને પ્રથમ ગુણસ્થાન (શરૂઆતનો ગુણ) કહે છે. આ ગુણ આગળ આગળની ભૂમિકામાં વિકાસ પામતો જાય છે. ચોથું ગુણઠાણું-ચોથી ભૂમિકામાં આત્માને આત્માપણે જાણવારૂપે સમ્યકજ્ઞાન થાય છે, જડચૈતન્યનું ભિન્ન ભિન્ન જ્ઞાન થાય છે. તેને વિવેકજ્ઞાન પણ કહે છે. આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ અહીં પ્રગટ થતું નથી છતાં થોડે અંશે પણ શુદ્ધતાની શરૂઆત આ ભૂમિકામાં થાય છે. એટલે અંશે સ્વસંવેદનગુણ અનુભવરૂપે અહીં પ્રગટ થાય છે, તથાપિ મોટોભાગ જાણવા સહવા (શ્રદ્ધા) રૂપે હોય છે, જે તેરમા . ગુણસ્થાને પૂર્ણ પ્રગટ થાય છે. આ ચોથા ગુણસ્થાનકવાળા સભ્યદૃષ્ટિ જીવો કહેવાય છે, છતાં તેઓ અવિરતિ હોય છે. અવિરતિ એટલે વ્રત નિયમો ન કરવા. ઇચ્છાઓ અનંત છે. તે ઇચ્છાઓને અમુક રીતે મર્યાદામાં રાખવી. ઇચ્છાઓનો વિરોધ કરવો, થોડે અંશે પણ છે ઇચ્છાઓને કાબૂમાં રાખવી તે વિરતિ કહેવાય છે. આત્માનું સ્વરૂપ જેવી રીતે જાણવામાં આવ્યું છે (સ્વઅનુભવ સિદ્ધ પ્રત્યક્ષ અનુભવ થયેલ નથી) તેવી રીતે પ્રત્યક્ષ કરવામાં સહાયભૂત કર્મ મલિનતાનો નાશ કરનાર-તે આ આવરણને હઠાવનાર જે ક્રિયામાર્ગ છે, તે માર્ગનો આશ્રય હજી કર્યો નથી તેટલો ઉત્સાહ હજી પ્રગટ થયો નથી, કેવળ જાણવા 888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 BBBBeBBBBBBBBBREREBBBBBBBBRERERURKIRROBORE 184 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy