SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBZOZOBEC Hot Ellos 888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે સાચી ન માનવી. મારા આ કથનથી ખાતરી ન થતી હોય, તો અનુભવ કરી જોવાથી નિર્ણય થશે. હા તૃપ્તિ થશે, જરા વાર શાંતિ આવશે, વૈરાગ્ય પણ પ્રગટ થશે અને હવે આ રસ્તે જવું નહિ એમ નિર્ણય પણ થશે. છતાં તે થોડીવાર જ. જરા વખત જવા દો, ફરી અનુકૂળ સંયોગો મળવા દો, તો સમજાશે કે આ વસ્તુ તો દુનિયામાં કોઈ વખત મળી જ નથી, તેટલી તીવ્ર ઇચ્છાથી પાછી તેના તરફ પ્રવૃત્તિ થશે અને થોડીવાર પહેલાં ઉત્પન્ન થયેલ તૃપ્તિ, કે શાંતિ કે વિરક્તતા નાશ જ પામી જશે. માટે વિચારદશા ખૂલ્યા સિવાય, વિવેકજ્ઞાન પ્રગટ થયા એ સિવાય, કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયા સિવાય, તૃપ્તિ કે શાંતિની આશા તમારે રાખવી જ નહિ. “ત્યારે ઇષ્ટ વસ્તુ મેળવવા માટે અમે શુભ ક્રિયાઓ કરી, તે વ્યર્થ જશે કે ? આનો ઉત્તર એ જ છે કે તમારી ઇચ્છા તે વસ્તુ તરફથી પાછી વળતી ન જ હોય, તેને મેળવવા માટે ઉત્કટ જિજ્ઞાસા બની રહેતી હોય તો તમે શુભ ક્રિયા ઘણી ખુશીથી કરો; પણ તમારું નિશાન બદલો, સુકાન ફેરવો. વિષયોપભોગોને મુખ્ય પદવી ન આપો, તમારા આત્મદેવને મોંઢા આગળ કરો. તે મેળવવાનું એટલે તેનો અનુભવ કરવાનું લક્ષ રાખો, સર્વ ક્રિયાઓ તેને ઉદ્દેશીને કરો. કૃષિકારો ધાન્યને માટે જ ખેતી કરે છે, છતાં ઘાસ, કડબ, વગેરે તો પ્રાસંગિકઇચ્છા કર્યા વિના જ તેની સાથે પ્રગટ થાય છે, તેમ જ તે હું આત્મદેવની જ ઉત્કંઠા તમે કરો તો રસ્તામાં આવા ઘાસ જેવા વિષયોપભોગો તો સત્તાગત ઇચ્છાનુસાર સ્વાભાવિક જ તમને આવી મળશે. એક રાજાને તમે મળશો તો પહેરેદાર છે સિપાઈઓ તો અનિચ્છાએ પણ તમારી ગુલામી કરશે. BURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRURERSBURGDEBURUBURURUBRUBOS que ROBURGDORUROBORBRRRRSBERUBBBBBBBERLER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy