SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Cello EITUSI PERBREBUIGBGBEBERUBBBBBBBBREREBBIE, 30 888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે બીજી ઇચ્છા ઉત્પન્ન કરે છે, બીજી પૂરી થઈ ન થઈ ત્યાં હું ત્રીજી ઇચ્છા ઊઠે છે. જ્ઞાનદશા જાગૃત થયેલી ન હોવાથી આ ઇચ્છાનો નાશ બીજા કોઈ ઉપાયથી થતો નથી, કેમ કે ઇચ્છાઓના બીજ અજ્ઞાનદશામાં રહેલા હોય છે. ઇચ્છાઓ પણ પૂર્ણ થતાં હર્ષ થાય છે. પૂર્ણ થવામાં અનેક આરંભો કરવા પડે છે. તેમાં કોઈ અડચણ કરે, વિષ્ન કરે તો ષ થાય છે. ઇચ્છા પૂરી ન થાય, તો ખેદ થાય છે. આ રાગદ્વેષની પરિણતિ નવીન કમોં ઉપાર્જન કરાવે છે અને પરિણામે જન્મમરણનું ગાડું વગર અટક્ય ચાલ્યા જ કરે છે. - અહીં વિચારદશાની પૂર્ણ જરૂર છે. જો બીજ સારી જમીનમાં વાવ્યું છે, તો ફળ થશે જ. તેને માટે દીનતા કરવી તે કેવળ ક્લેશને જ માટે છે. તેમ જ જો જીવે સત્કર્મ કર્યા છે, તો તેનાં સારાં ફળો મળવાના જ; તો તેને માટે આવી હું દીનતાવાળી અને પરિણામે દુઃખરૂપ નિયાણાની માગણી કરવી તે નકામી છે. આત્મદષ્ટિ થયા સિવાય ઇચ્છાના બીજનો નાશ થતો નથી. અહીં એ શંકા થશે કે મહેનત વિના મળતું નથી, મહેનત કરી ફળની માગણી કરતાં પરિણામ આવું બતાવો છો, ત્યારે ઇચ્છાઓને તૃપ્ત કેમ કરવી ? ઉત્તર એ છે કે ઉત્તમ વિચારબળ વિના-જ્ઞાનશક્તિ પ્રગટ થયા સિવાય-ઇચ્છાઓનો નાશ થઈ શકતો નથી. ઇચ્છાની તૃપ્તિ કોઈ વખત થઈ નથી અને સદાને માટે થવાની નથી, એ તો બળતા અગ્નિમાં લાકડાં હોમ્યા જ કરો, અગ્નિ શાંત ન થતાં વધતો જ જવાનો. ઇચ્છા પ્રમાણે ભોગોનો ઉપભોગ કરવો એ કાંઈ અગ્નિ શાંત કરવાનો ઉપાય નથી, તેમ હું વિષયોની પ્રાપ્તિથી ઇચ્છા શાંત થાય તે વાત સ્વપ્ન પણ છે BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBB38 BRDROBBBBBBB BBBBBRORUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB 144 Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy