SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBUSKRBEVRUBBBBBBBBBBBBB Cellot Elfusi SROBOROBUDUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS પણ તેના માટે આર્તધ્યાનવાળા વિચારો ન કરવા. તેને માટે અહોનિશ ઝુરવું નહિ. અરે ! “આ મારો રોગ ક્યારે જશે ? સ્વપ્નમાં પણ કોઈ વખત આ રોગનો સમાગમ મને ન થાઓ.” ઇત્યાદિ વિચારો કરવાનું પરિણામ શું છે ? કાંઈ જ નહિ. રોગના જ વિચારોમાં તલ્લીનતા રાખવી-તેમાં જ એકાકાર થઈ જવું એ રોગચિંતા નામનું આર્તધ્યાન છે. દઢ દેહાધ્યાસ છે. ભૂલોનો બદલો મળવો જ જોઈએ. કાંઈ પણ કર્યા | વિના થતું નથી, તો પછી આ રોગ માટે તમે શું એમ ધારો છો કે તે તમારા કર્યા વિના થયો છે ? નહિ જ. તમારી ભૂલની તપાસ કરો. ખાવાપીવાના નિયમો તમે સાચવ્યા નહિ હોય. જરૂરિયાતથી અધિક પ્રયત્ન કર્યો હશે, બ્રહ્મચર્યના નિયમોથી વિરુદ્ધ વર્તન થયું હશે. કોઈની ઇર્ષા કરી હશે, નહિ કરવા યોગ્ય વિચારો કર્યા હશે. આ વિચારોની પાચનશક્તિ પર અસર થઈ તેમાંથી રોગો ઉત્પન્ન થાય છે માટે પોતાની ભૂલો સુધારવી એ જ આપણું કર્તવ્ય છે. ભૂલો ન સુધારવી અને કેવળ આત્તવિચારો જ કર્યા કરવા, તે વિચારોથી તે રોગો ચાલ્યા જતા નથી, પણ તેમાં જ દઢ ધ્યાન કે અધ્યવસાયથી-દેહાધ્યાસ, દેહમમત્વ મજબૂત થાય છે. તેવા અધ્યવસાયથી કર્મબંધ વધારે થાય છે. મતલબ કે આર્તધ્યાન ન થાય તેવી રીતે રોગને સહન કરવો. યથાયોગ્ય ઉપચાર કરતા રહેવું. તેમ છતાં ન મટે તો સમભાવે સહન કરવું. પણ હાયવોયવાળી, વિહવળતા થવા ન દેવી. બીજી રીતે વિચાર કરીએ તો રોગ એ આપણી ભૂલની $ શિક્ષા છે, ભવિષ્યમાં વધારે મોટા રોગો ન થવાની એ ચેતવણી છે છે, અથવા શરીર સુધારવાનું સાધન છે. અર્થાત્ તે રોગ આપણા ભલાને માટે થયેલ છે. BURBEREBBBBBBBBBBURUDOBRUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB68 18CBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy