SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 2llot Ellys! ROZBBBBBBBBBBBBBBBBBBBBBBBBB3BBBSZSZ. અનિષ્ટસંયોગ પહેલું આર્તધ્યાના विषदहनवनभुजंगमहरिशस्त्रारातिमुख्यदुर्जीवैः । स्वजनतनुघातद्भिः सह योगेनातमाद्यं च ॥७१ ।। श्रुतैर्दृष्टै स्मृतीतैः प्रत्यासत्तिसमागतैः । अनिष्टार्थेर्मनःक्लेशे पूर्वमातं भवेत्तदा ॥७२॥ પોતાના સંબંધીઓનો અને પોતાના શરીરનો ઘાત (નાશ) કરવાવાળા ઝેર, અગ્નિ, વન (અથવા સળગતું વન), સાપ, સિંહ, શસ્ત્ર અને શત્રુપ્રમુખ દુષ્ટ જીવોની સાથે મેળાપ થવો, તેથી ઉત્પન્ન થનારું પહેલું આર્તધ્યાન છે. તેમ જ અનિષ્ટ પદાર્થોને સાંભળવા વડે, દેખવા વડે, સ્મરણ કરવા વડે, જાણવા વડે, નજીક આવવા વડે, જો મનમાં કલેશ થાય, તો તેથી પહેલું અનિષ્ટસંયોગ નામનું આર્તધ્યાન થાય D8888888888888888888/888888N8A8888888888888888888888888888888888888888888 CERUZUKUSUBUBUBBAGBUBBBBBBBBBBBBBBBBOROBUDOBUSUBURBURGRUPCBERUBBBBBBBBBBBBA ભાવાર્થ : ધ્યાન એ મનનો વિષય છે. નિમિત્તો મળવાથી વાસનારૂપે રહેલા સંસ્કારો પ્રગટ થઈ આવે છે અને તેથી જેવા જેવા વિચારમાં લીન થવાય છે તેવી તેવી જાતનું તે ધ્યાન કહેવાય છે. અહીં આર્તધ્યાનનો પ્રસંગ છે. અનિષ્ટ વસ્તુનો સંયોગ જીવને ઠીક લાગતો નથી. ન લાગવાનું કારણ, આત્મા પોતે આનંદરૂપ છે, સુખસ્વરૂપ છે, તેથી તેને સારું જ-ઉત્તમ જ ગમે છે. ત્યારે આ અનિષ્ટનો મેળાપ શા માટે થાય છે ? આત્મા પોતે પોતાનું ભાન ભૂલી જઈ પોતે માની લીધેલા ઈષ્ટ વિષયો તરફ આકર્ષાય છે, તેને નિમંત્રણ આપે છે, અહોનિશ તેનું ચિંતન કર્યા કરે છે, તેને માટે ભગીરથ પ્રયત્નો નિરંતર કર્યા કરે છે, મનમાં દઢ સંસ્કાર છે પાડે છે, વચનથી તેને અનુમોદે છે- “ઇષ્ટ છે' તેમ બોલે છે, BEGRUBUERBERURBRORUBEROPERSBURBEREBUB 130 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy