SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 368BBBURURUBBBBBWBWBWBURBE8BBBBBBB zilol Ellusi 8888888888888888888888888888888888888888888888888888888888888888888888 પ્રકરણ પણ આર્તધ્યાના आर्त रौद्रं च दुर्धानं प्रत्येकं तच्चतुर्विधम् । अर्ते भवमर्थार्तं स्यात् रौद्रं प्राणातिपातजम् ॥६९।। આર્ત અને રૌદ્ર એ બે દુર્થાન છે. તે દરેકના ચાર ચાર ભેદ છે. પીડાથી ઉત્પન્ન થયેલું આર્તધ્યાન કહેવાય છે અને પ્રાણનો નાશ કરવાથી ઉત્પન્ન થયેલું રૌદ્રધ્યાન કહેવાય છે. ભાવાર્થ : રાગદ્વેષની પરિણતિથી કોઈ પણ જીવને દુઃખ ઉત્પન્ન કરવું કે દુઃખ ઉત્પન્ન કરવાના વિચારો કરવા તે દુર્થાન છે. તેને આધ્યાન કહે છે. બીજા જીવોને આર્તપીડિત દુઃખિત કરવાના વિચારોથી તે ધ્યાનની ઉત્પત્તિ છે. જીવોને પ્રાણોથી સર્વથા જુદા કરવાથી કે કરવાના | વિચારોથી ઉત્પન્ન થયેલું દુધ્ધન તેને રૌદ્રધ્યાન કહે છે. આ બને જાતના દુર્ગાનની ઉત્પત્તિ વિચાર દ્વારા થાય છે અને પછી વચન કે શરીર દ્વારા તેને ક્રિયામાં મૂકવામાં આવે છે. આ આર્ત તથા રૌદ્ર દુર્ગાનના ચાર ચાર ભેદ છે. જે અનુક્રમે આગળ બતાવે છે. આર્તધ્યાનના ચાર ભેદ अनिष्टयोगजं चाद्यं परं चेष्टवियोगजम् । रोगार्तं च तृतीयं स्यात् निदानात चतुर्थकम् ॥७॥ મનને ન ગમે તેવી વસ્તુના સંયોગથી, વહાલી વસ્તુનો વિયોગ થવાથી, રોગ થવાથી અને નિયાણું કરવાથી ઉત્પન્ન છે થતું એમ આર્તધ્યાન ચાર પ્રકારે છે. BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBGR1308 132 REBRERURBACABERORGBUREBOROBUDURUBURURUZKO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy