SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ S88 ROBERUBBBBBBBBBBBBBBBBBBBBBBB ellot EINSI 8888888888888888888888888888888888888888888888888888888888888888888886 છે મન તદન સ્થિર થાય છે. “હું આનંદસ્વરૂપ છું' તેને પણ હું યાદ કરતું નથી. મનનો કેવળ લય થઈ જાય છે તે તે એકાગ્રતાવાળી ધ્યાનની સ્થિતિ કહેવાય છે. આ ભાવનાની હયાતી ધ્યાનના અભ્યાસકાળમાં એટલે ધ્યાન કરવાની શરૂઆતમાં અને અંતર્મુહૂર્ત પછી એકાગ્રતાની સ્થિતિ વીખરાતાં હોય છે. મનની આવી સ્થિતિ તે ભાવના છે. મનની બીજી સ્થિતિ અનુપ્રેક્ષાની છે. અનુપ્રેક્ષા એટલે પાછળ તપાસ કરવી. જોવું. અર્થાત્ ધ્યાનની સ્થિતિ ખસી જવા પછી પાછું તે સ્થિતિ મેળવવા પૂર્વે અનુભવાયેલી ધ્યાનસ્થિતિનું સ્મરણ કરવું, સ્મૃતિ લાવવી, પૂર્વની સ્થિતિને શું યાદ કરવી તે છે. મનની ત્રીજી સ્થિતિ ચિંતા નામની છે. આ બે સ્થિતિથી તે જુદી એટલે મનની આ બે સ્થિતિ ઊંચા પ્રકારની છે, તેનાથી આ ત્રીજી નીચા પ્રકારની છે. કોઈ પણ પદાર્થની ચિંતા કરવી એટલે અનેક વિચારોતરોમાં ચાલ્યા જવું. જીવાજીવાદિ અનેક પદાર્થોના વિચાર કરવા તે પદાર્થચિંતા નામની મનની ત્રીજી સ્થિતિ છે. આગમમાં કહ્યું છે કે – जं थिरमज्झवसाणं तं झाणं जं चलं तयं चितं । तं हुज्ज भावणा वाणुप्पेहा वा अहव चिंता ॥१॥ अंतो मुहत्तपरओ चिंता झाणंतरं च हुज्जावा । सुचिरंपि हुज्जबहुवथ्थुसंकमे झाणसंताणं ॥२॥ अंतो मुहत्त मित्तं चिंता वथ्थाण मेग वथ्थुमि । छउमथ्थाणं झाणं जोग निरोहो जिणाणं च ॥३॥ BUBCBGBBBBBBBBBBBGBUBURB8888KBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS 238 RUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy