SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ allot Elfus, BORURGIUBBBBBBBBBBBBBBBBBBBBBBBPS, BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBGRUBURBURUBBBBBBBBBBBBBBEE આનો ઉત્તર આ પ્રમાણે છે કે એક દ્રવ્યમાં કે ગુણમાં મનનો નિરોધ કરવો-એકરસ અખંડ પ્રવાહ ચલાવવો તે ધ્યાન તો અંતર્મુહૂર્તથી અધિક છદ્મસ્થોને હોઈ શકે નહિ. યોગોની ચપળતા રોકવી ઘણી મુશ્કેલી ભરેલી છે. તથાપિ તે ધ્યાતા મુનિ, એક પછી એક એમ અંતર્મુહૂર્ત પછી પોતાના ધ્યેયોને પલટાવતો જાય અગર મનોયોગની સ્થિતિની વિકળતા થઈ જાય કે તરત જ પાછી તેને ઉપયોગની જાતિથી તેની સાથે જોડી દે-અનુસંધાન કરી દે તો તે ધ્યાનની સંતતિ લાંબા વખત સુધી પણ લંબાય છે, પણ અંતર્મુહૂર્ત પછી એકાગ્ર થયેલું મન નિરોધ સ્થિતિમાં રહી શકતું નથી. તેનો પ્રવાહ ધ્યેયાંતરમાંપછી તે આત્મગત મનાદિકમાં કે પરગત દ્રવ્યાંતરમાં સંક્રમણ કરે છે. તેથી ધ્યાનનો પ્રવાહ લાંબો વખત ચાલુ રહે છે. કલાકો સુધી ધ્યાન કરવાનું જે કહેવા કે સાંભળવામાં આવે છે તે આ અપેક્ષાએ બરોબર છે. એકાગ્રતામાંથી ખસી ગયેલા ચિત્તની ત્રણ અવસ્થા થાય છે. તેને ભાવના, અનુપ્રેક્ષા અને પદાર્થચિંતા કહેવામાં આવે છે. શરૂઆતમાં મનને એક જ ધ્યેયમાં જોડવાનું હોય છે. આપણે ધ્યેય તરીકે એક આત્મગુણ લઈએ, જેમ કે “આત્મા આનંદસ્વરૂપ છે. આત્મા આનંદસ્વરૂપ છે તેના મનને વારંવાર સંસ્કાર પાડવા. મનમાં તે પદનો-શબ્દનો છે પ્રતિધ્વનિ થયા કરે છે. આ એકાગ્રતા નથી, પણ એકાગ્રતાનો અભ્યાસ થાય છે. બીજા સંસ્કારો કે વિચારોતરોને હઠાવીને આ એક જ વિચારને મુખ્ય કરવાનો પ્રયત્ન ચાલુ છે. મનની આવી સ્થિતિને ભાવના કહે છે. આવી ભાવના ચાલુ રાખવા પછી તે અભ્યાસને મૂકી દઈ છે NBBURUBBBBBBBBBGBBBBBBBBBBBBBBBBBURURUBURUBUBUBUBUBURUBUBUBUBBBBBBBBBUBURUBUR SREBRERUBBBBBBBBBBBBBRORURGRUBUBBBUBUB 134 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy