SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888848888888888 888888888888888889 નિમ્ નષ્ટ કસ્ટમ્સનાંના9888WRN498869,ધ્યાન દીપિકા સાક્ષાત્ મૂર્તિની સ્થાપના કરી, આ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા હું છું, મારું તેવું જ શુદ્ધ સ્વરૂપ છે વિગેરે ભાવનાવાળી વૃત્તિ કરી, તે સ્થાનમાં મનને તે મહાપ્રભુના સ્વરૂપરૂપી ખીલા સાથે બાંધી મૂકવામાં-રોકવામાં આવે છે, જેથી મનની તે વૃત્તિઓ પોતાની ચપલતાને મૂકી દઈ શુદ્ધ આત્મસ્વરૂપમાં પોતાનું ભાન ભૂલી લય થઈ જાય છે. એક નિશાન ઉપર બાહ્યદષ્ટિને રોકી રાખી અંતરમાં અંતરદષ્ટિનું સચોટ નિશાન બાંધવું એ આશય, ભગવાન મહાવીર દેવનો ગૌતમ સ્વામીને જણાવવાનો હોય તેમ એ સ્થળે સમજાય છે. આ તે મહાપ્રભુના અભ્યાસદશા હતી. શરૂઆતમાં મનને સ્થિર રહેવાનું શીખવવા માટે દેવની કે ગુરુની શાંતમૂર્તિ સન્મુખ સ્થાપન કરી તેના ઉપર એકાગ્રતા કરી શકાય છે. આ અભ્યાસની શરૂઆત ધીમે ધીમે કરાય છે. તે ઉપર દૃષ્ટિ સ્થાપ્યા બાદ તે ધ્યેય સિવાય બીજો કોઈ વિચાર મનમાં આવવા ન દેવો. ષ્ટિ નિમેષોન્મેષ રહિત ખુલ્લી રાખવી. એક બે મિનિટ જેટલા થોડા વખતથી શરૂઆત નિયમિત રીતે કરવી અને ધીમે ધીમે લંબાવવી વધારવી. પછી તે મૂર્તિને હૃદયમાં સ્થાપન કરી, આંખો બંધ કરી, મનમાં તે ધ્યેય સિવાય બીજો કોઈ વિચાર આવવા ન દેવો એટલે તેનો જ વિચાર કરવો. તેનો વિચાર કરવો એટલે આત્માના શુદ્ધપદનો વાચક કોઈપણ શબ્દ, જેમ કે સોહં, અહ, ૐ વગેરે લઈ તેનો મનથી જાપ કરવો. હૃદયમાં તે મૂર્તિને આંતર્દિષ્ટથી જોયા કરવી. આ વખતે વચમાં કોઈ પણ વિચાર આવી જાય તો તે વિચારને મૂકી ન દેવો પણ તરત જ જાપ બંધ કરી તે વિચારને પકડવો અને વિવેકજ્ઞાનથી તે વિચારને છિન્નભિન્ન કરીને કાઢી નાખવો. વિચાર કોઈ 88888888882888 88888 ૧ ૩૨ ૩888888888&888888888888883888888888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy