SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Ello Eifysi BOZPOREIZBORBE REDBUBBBBVRE PUZKRBOB 0 28288888888888888888888888888888888888888888888888888888888888888888RES છે અંતરમાં કોઈ પણ આતમાનો ગુણ ધ્યેય તરીકે લેવો. જેમ કે હું આનંદસ્વરૂપ છું કે જ્ઞાનસ્વરૂપ છું, અથવા આખા આત્માને ધ્યેય તરીકે લેવો એટલે તેના ગુણ કે આત્મા તરફ મનને પ્રેરિત કરી તેના ઉપર જ ચોંટાડી રાખવું. વચમાં તે ગુણના લક્ષ સિવાય બીજો કાંઈપણ સંકલ્પ ઉત્પન્ન થવા ન દેતાં તે ગુણ તરફ મનનો અખંડ પ્રવાહ ચલાવવો, મનને નિઃખૂકંપ (નિશ્ચલ) રીતે તેના ઉપર સ્થાપન કરવું (ધારી રાખવું). વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીપકની શિખાની માફક અડોલ રાખવું. વિકલ્પરૂપ વાયુ વડે ચલાયમાન ન થાય તેવી રીતે સ્થિર કરવું. આનું નામ ધ્યાન કહેવાય છે. શરૂઆતમાં મન કાંઈ આવી રીતે સ્થિર રહેતું નથી, માટે બહાર કોઈ ચીજ ઉપર પ્રથમ દૃષ્ટિ સાથે મનને સ્થિર કરવાનો અભ્યાસ પાડવો. આ સંબંધી ભગવાન મહાવીરસ્વામીજીએ ગૌતમ સ્વામીને એક વખત પોતાનો વૃત્તાંત જણાવતાં કહ્યું હતું તે સંબંધી હકીકત આ પ્રમાણે ભગવતી સૂરામાં છે હે, ગૌતમ ! એક વખત હું એક માટીના ઢેફા ઉપર દૃષ્ટિ સ્થાપન કરી એક અહોરાત્રી પર્વતની મહાપડિમા (અભિગ્રહ) કરી રહ્યો હતો. મતલબ કે તે મહાપ્રભુએ અનિમેષ દૃષ્ટિએ એક અહોરાત્રી પર્વત મનને એક જ નિશાન કે લક્ષ ઉપર રોકી રાખવા સુધી પ્રયત્ન કર્યો હતો. બાહ્યદષ્ટિ અમુક લક્ષ ઉપર રાખવી તે એક નિશાન છે તે બાહ્યદષ્ટિ સાથે આંતષ્ટિ હૃદયમાં કે ભ્રકુટી આદિ સ્થાનોમાં રાખવામાં આવે છે અને તે સ્થળે જેમ એકાદ ચપળ સ્વભાવવાળી નાસભાગ કરવાવાળી ગાય કે ભેંસને ખીલે બાંધવામાં આવે છે તેમ અંતર્હદયમાં શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરનાર સિદ્ધ પરમાત્મા કે જીવન્ત દેહધારી અરિહંતાદિની 09368BBBBBBBBBBBBBBBBBBBBBORGBUBURBURSBOBOBOBOBOBOBOS BBBGBBBBBBB8388SBE RULOURBERERURUSAURUABREREBBBBBURCURRre 131 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy