SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા GGR®રશ્યનÆદ્વશ્યમ્સ સ્કઢઇટમ્સ ઇમ્લેક્સ8888 મલિનતાવાળા ધ્યાને કરી પોતે દુ:ખી થાય છે અને બીજાને દુ:ખી કરે છે. પોતે દુર્ગતિમાં જાય છે અને બીજાને લઈ જાય છે. તેઓ ખોટા ધ્યાન શા માટે કરે છે ? ધનને માટે. શત્રુઓને ઉચ્ચાટન કરવા માટે આવા ખોટા ધ્યાન કરે છે. કોઈ ધનાઢ્ય કે રાજા પ્રમુખને વશ કરી તેની પાસેથી ધન મેળવે છે. સ્ત્રીઓને સ્વાધીન કરી કામ વિષયવાસના સંતોષે છે. શત્રુ આદિને ઉચ્ચાટ થાય, તેને દુઃખ થાય, મરણાંત કષ્ટ થાય, તેવા પ્રયોગો કરી પોતાનું વેર વાળે છે અગર અન્યને થતાં દુ:ખથી પોતાને શાન્તિ માને છે. આ તેઓની દુષ્ટ બુદ્ધિ છે. અન્યને દુ:ખ દેવાની માન્યતામાં તેઓ ઠગાયા છે. સામા મનુષ્યનું પુણ્ય બળવાન હોય તો આ માણસથી કરાતા મલિન મારણ, ઉચ્ચાટન, વશીકરણાદિ પ્રયોગો નિષ્ફળ નીવડે છે. જો તેઓનું પોતાનું પુણ્ય બળવાન હોય તો આવી અધોગતિ આપનારી આત્મશક્તિનો દુરુપયોગ કરનારી ક્રિયા કર્યા સિવાય પણ તેઓને પોતાની ઇચ્છા પૂર્ણ થાય તેવા પ્રસંગો મળી આવે છે. કદાચ સામાનું પુણ્ય ઓછું થયેલું હોય અને આ નિમિત્તે આ ક્રિયા કરનાર કોઈ વખત તેવા પ્રયોગોમાં વિજયી નીવડે છે, તો પણ આ આર્ત્ત અને રૌદ્ર અધ્યવસાયથી અન્યને મરણાંત કષ્ટ આપવા માટે કરાયેલી ક્રિયાનું ખરાબ પરિણામ તેને મળ્યા સિવાય રહેતું જ નથી. એટલું જ નહિ પણ મહા મોહકર્મ બાંધી ઘણા વખત સુધી દુર્ગંતનો અનુભવ કરવો પડે છે; માટે આત્મવિશુદ્ધિને ઇચ્છનારા મુમુક્ષુ જીવોએ અસત્ ધ્યાનને રસ્તે કદાપિ પણ જવું નહિ અને તેવા લોકોની સોબતમાં પણ ફસાવું નહિ. એ માટે ઘણી સાવચેતી રાખવી. લાલચો બૂરી ચીજ છે, ગમે તેવા મહાત્માઓને પણ ફસાવે છે, માટે તેવા સંગથી સદાને માટે દૂર રહેવું. 83333333333333333388888888888 0888888888 ♦ 99/88888888838888888a8a888 888889888 TUZURURURURUZUKUTUKURUTUKUTUKURUZERETETERY 124 Jain Education International \ \ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy